________________
બોધ
૧૪૫
નમૂના છે. શ્રીલંકામાં અનુરાધાપુરમાં ધ્યાનમુદ્રાવાળી બૌદ્ધની એક પ્રાચીન પ્રતિમા જોવા મળે છે. પિન્નરુવા નામના સ્થળે મહાપરિનિર્વાણ મુદ્રાવાળી અગિયારમીબારમી સદીની એક સુંદર પ્રતિમા છે. જાવામાં ચંડીમેંદુત બૌદ્ધ મંદિરમાં ધ્યાનમગ્ન બુદ્ધની આકર્ષક પ્રતિમા તથા બેધિસત્વ પદ્મપાણિની પ્રતિમા ઘણી જ કલામય છે. આમ બદ્ધધર્મે સ્થાપત્ય અને મૂર્તિકલાના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આવે છે.
સ્થાપત્ય અને મૂર્તિકલા સાથે ચિત્રકલાના ક્ષેત્રે પણ બૌદ્ધધર્મ નંધપાત્ર પ્રદાન કર્યું છે. ભારતમાં અને ભારત બહાર બૌદ્ધકલાના નમૂનારૂપ જગપ્રસિદ્ધ ચિત્રો આવેલાં છે. ચીન, તુર્કસ્તાન અને જાવામાં હારીતિનાં સુંદર ચિત્ર જોવા મળે છે. કૂર્ચા પ્રદેશમાંથી બુદ્ધના જીવનપ્રસંગે આલેખતાં અનેક ભાવવાહી ચિત્રો મળ્યાં છે. તિબેટ, નેપાળ વગેરે પ્રદેશમાંથી ધ્યાની બુદ્ધો, બેધિસર તથા બદ્ધ દેવદેવીઓનાં અનેક સુંદર ચિત્ર મળેલ છે. બ્રહ્મદેશમાંથી પણ બુદ્ધના જીવનપ્રસંગે આલેખતાં જાતક કથાના પ્રસંગોનાં કલામય ચિત્રો મળી આવેલ છે. આ સર્વચિત્રોમાં કમળતા, લાવણ્ય, શાંતિ અને વિવિધભાવ જોવા મળે છે. આ સર્વ ચિત્રએ બૌદ્ધધર્મને કલાને ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવી છે.
ચિત્રકલાની દષ્ટિએ વાત કરીએ ત્યારે આપણે નજર સમક્ષ અજંટાના કલામંડપ ખડા થાય છે. બૌદ્ધ કલાકારે જીવનને કેવી વિવિધ દૃષ્ટિએ નીરખ્યું છે તેને સચોટ ખ્યાલ અજંટાની ચિત્રકલા ઉપરથી આપણને આવે છે. મનુષ્યના મનમાં કેટકેટલા હાવભાવ રહેલા છે તેનું આબેહૂબ આલેખન અહીં કરવામાં આવ્યું છે. અજંટાની પ્રાણીસૃષ્ટિ અને પુષ્પરુષ્ટિ એ તે અજટાની ચિત્રકલાને આગ વિષય છે. આ કલામંડપમાં ચીતરેલાં રાજસવારીનાં દશ્ય, ગૌતમબુદ્ધના જીવનપ્રસંગે, જાણે હમણાં જ બન્યા હોય તેમ આપણી નજર સમક્ષ ખડા થાય છે. ગૌતમની વિશાળ પ્રતિમા આગળ ગોતમને ભિક્ષા આપતી યશોધરા ને રાહુલ આપણા મનમાં વેદનાની વિવિધ લાગણી જન્માવે છે. અજંટાની ચિત્રકલામાં રંગ અને રેખાનું જેવું આયોજન થયું છે તેવું દુનિયાની અન્ય કઈ કલામાં થયું જણાતું નથી. રંગના મિશ્રણમાં એવું તે કયું દ્રવ્ય મેળવ્યું છે કે આજે પણ એ રંગે યથાવત જળવાઈ રહ્યા છે. હજારો યાત્રિકે આ કલાનું દર્શન કરતાં કયારેય પણ ધરાતાં નથી. બુદ્ધની ભૂરકી કેવી અજબ છે. બાઘની ચિત્રકલામાં બુદ્ધના જીવનના ઘણું પ્રસંગો આલેખાયા છે. ભા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org