________________
ઔધ
ભારતીય સંસ્કૃતિમાં ઔદ્ધધનું પ્રદાન—
મનુષ્ય જાતને પ્રેરણા આપનાર જગતમાં જે મહાન વિભૂતિઓ થઈ છે તેમાં ગૌતમબુદ્ધનું સ્થાન નોંધપાત્ર છે. ભારતના સ ંસ્કાર વારસાને જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતિના સ ંસ્કાર વારસાને સમૃદ્ધ કરવામાં તેમના ફાળા મહત્ત્વના છે. ધમ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે ગૌતમે એક નવા જ વિચાર મૂકયો. અતિશય વિલાસ કે ઉગ્રદેહદમન કરતાં ગૌતમે મધ્યમ માર્ગના વિચાર વહેતા મૂકો, તેના પરિણામે ભારતમાં ધાર્મિક ક્ષેત્રે મહાન ક્રાંતિ સર્જાઈ.
ભારતીય સમાજમાં એ વખતે બ્રાહ્મણ પરંપરાનુ જોર હતું. પ્રજાના મન ઉપર વૈધ ની પકડ હતી. સ્વાથી બ્રાહ્મણા ધર્મને નામે પ્રજાને હિંસા અને વ્યભિચારના માર્ગે લઈ જતા હતા. ધ્યા, કરુણા, શીલ જેવી ખાખતા ભુલાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં ગૌતમે અહિંસાપ્રધાન ધર્મના ઉપદેશ આપી સમજાવ્યું * વેરથી વેર સમતુ નથી, પણ અવેરથી શમે છે. આના પરિણામે અશાક જેવા રાજવીના હૃદયપલટા થયા. શીલાલેખા અને સ્થ ભલેખા કાતરાવી ભારતીય પ્રજાને અશેકે સાચો ધર્મ સમજાવવા પ્રયત્ન કર્યો.
૧૪૩
ગૌતમે આળાર–કાલામના આશ્રમમાં યોગ માર્ગના અભ્યાસ કર્યાં હતા તેથી તેમણે પોતાના ઉપદેશમાં ચાર આસા અને આ અષ્ટાંગમાને મહત્ત્વ આપ્યું. તેમણે પોતાના ઉપદેશ સંસ્કૃત ભાષામાં આપવાને બદલે પાલી ભાષામાં આપવાનું શરૂ કરતાં પાલી ભાષાના વિકાસ થયા. લેાકભાષામાં અપાતા ઉપદેશ લોકાને બહુ ગમ્યો. ઉપદેશ આપવાની પદ્ધતિ સાદી અને સરળ હતી. નાના ટુચકાએ આપી તે ઉપદેશ આપતા હોવાથી સામાન્ય જનતામાં તે ઘણા લોકપ્રિય બન્યા.
જીવનના અનેક અનુભવોને કારણે તેઓને સત્ય સમજાયું હતુ કે સ ંસારનાં દુઃખામાંથી મુક્ત થવાના માર્ગ કેવળ તૃષ્ણાના ત્યાગ છે. આ માટે તેમણે સંધ, ધર્મ અને જ્ઞાનનું શરણુ લેવા ઉપર ભાર મૂકયો. આના પરિણામે હૂધ માં સંધનું મહત્ત્વ વધ્યું. અનેક બૌદ્ધ ભિક્ષુએ સંધમાં વસતા હોવાથી બૌદ્ધ તત્ત્વજ્ઞાનના . અનેક ઉત્તમ ત્રથા અસ્તિત્વમાં આવ્યા. બૌદ્ધ વિદ્વાનાએ અન્ય ભારતીય ચિતાને ઊંડું ચિ ંતન કરવા પ્રેર્યા. પરિણામે ભારતીયદર્શનમાં ઊંડાણુ અને સૂક્ષ્મતા આવ્યાં.
તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે ખુષ્યે મહાન ક્રાંતિ આણી. દેવતાઓના યુગના અંત આણીને એમણે માનવયુગ પ્રવર્તાવ્યો. મનુષ્યને દેવતાઓના દાસમાંથી મુક્ત કરી સ્વપ્રયત્ને મુક્તિ મેળવવાના માર્ગ બતાવ્યા. અહિંસાપ્રધાન ધર્મ વિકસાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org