________________
૧૪૨
ભારતીય ધર્મ ઉપદેશથી ઘણું લેકે આકર્ષાયા. બૌદ્ધધર્મ પ્રચંડ વેગે ભારતભરમાં વિસ્તર્યો પણ કુદરતને નિયમ છે કે જેની ચડતી તેની પડતી પણ આવે છે એ અનુસાર બૌદ્ધધર્મ ઈ. સ.ની દસમી-અગિયારમી સદી પછી ભારતમાંથી ધીરેધીરે અસ્ત થવા લાગ્યો.
બૌદ્ધધર્મ ભારતમાંથી કયા કારણોસર વિલય પામે તે અંગે ખૂબ ચર્ચાઓ થયેલી છે, વિદ્વાને ભિન્ન ભિન્ન કારણે દર્શાવે છે. જે ધર્મે લગભગ ૭૦૦ વર્ષ સુધી ભારતમાં એકચકે શાસન કર્યું તેનું આજે નામનિશાને શોધવું પડે તે આપણી કમનસીબી છે. બીજી બાજુ નજર કરીએ તે તે ભારત બહાર ખૂબ પ્રસિદ્ધિ પામે છે.
બદ્ધધર્મ ભારતમાંથી બહાર ગયો તેનું મુખ્ય કારણ એ હતું કે કુમારિક ભટ્ટ અને શંકરાચાર્યની વિચારસરણી આગળ તે ટકી શકશે નહિ. ગૌતમ બુદ્ધ વેદને અસ્વીકાર કર્યો હે ઈ વેદાંતીઓ તે ધર્મને હલકે પાડવા પ્રયત્ન કરતા હતા.
બદ્ધધર્મમાં આત્મા અને પરમાત્મા વિશે મન સેવવામાં આવેલ હોવાથી તે ભારતીય પ્રજાની આધ્યાત્મિક ભૂખ કેટલેક અંશે સંતોષી શક્યો નહિ.
ૌદ્ધધર્મ સંધ ઉપર આધારિત હોઈ ગૌતમબુદ્ધના મૃત્યુ બાદ બૌદ્ધ સંઘોમાં તીવ્ર મતભેદે ઊભા થયા. સંઘની આંતરિક એક્તા તૂટી. હીનયાન અને મહાયાન શાખાઓ વચ્ચે સંઘર્ષ વધે. બૌદ્ધ શ્રમણોના આચારમાં શિથિલતા આવી ગઈ હતી.
ભારતમાં હર્ષ પછી આ ધર્મને આશ્રય આપનારા કોઈ પ્રતાપી રાજવી થયા નહિ, જૈનધર્મ અને હિંદુધર્મ પ્રજામાં જે રીતે પ્રસિદ્ધ થયે તે રીતે બૌદ્ધધર્મ ન થઈ શકશે નહિ. આ ધર્મને હલકે પાડવામાં હિંદુ અને જૈન વિચારકે એક થઈ ગયા.
કેટલાક વિચારકે મુસ્લિમ આક્રમણને બૌદ્ધધર્મની પડતીના કારણ તરીકે ધટાવે છે તે બરાબર નથી. અલબત્ત મુસ્લિમ આક્રમણએ બૌદ્ધ વિહાર, વિદ્યાપીઠ, તૂપે, ગ્રંથ વગેરેને નાશ કર્યો, પણ બૌદ્ધધર્મની પડતીની શરૂઆત તે મુસ્લિમોના આક્રમણે પહેલાંથી શરૂ થઈ હતી. મુસ્લિમેના આક્રમણએ તે એ પ્રક્રિયાને વેગ વધાર્યો.
ઉપરનાં સર્વ કારણેમાંથી કોઈ એક કારણને બૌદ્ધધર્મ માટે જવાબદાર માની શકાય નહિ. શક્ય છે કે બધાં કારણેએ ભાગ ભજવ્યો હોય અને બૌદ્ધધર્મ ભારતમાંથી સહજ રીતે અસ્ત પામે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “Buddhism died a natural death in India.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org