SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મ ૧૮૧ ક્ષેત્રે ઘણો જ પ્રભાવ હતો, મૈત્રક રાજવીઓના અનેક તામ્રપત્રમાં બોદ્ધ વિહારને દાન આપ્યાના ઉલ્લેખ મળે છે. ઉત્તર ભારત સાથે દક્ષિણ ભારતમાં પણ બૌદ્ધધર્મ ધીરેધીરે વિકસ્યો હતો. દક્ષિણને સાતવાહન વંશના રાજવીઓ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધધર્મ તરફ સમદષ્ટિ વાળા હતા. અહીં મહાયાને સંપ્રદાયને સારે વિકાસ થયે હતા. મહાયાન મતના સ્થાપક નાગાર્જુન વિદર્ભના હતા. આ નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. આ સમયે બદ્ધ ચૈત્યેની વિધિસર પૂજા પ્રચલિત બની. ધીરેધીરે બેહધર્મ પેશાવરથી માંડીને દક્ષિણમાં અમરાવતી અને નાગાર્જુનડા સુધી વ્યવસ્થિત રીતે વિકસ્ય. અમરાવતી અને નાગાર્જુનડામાં પ્રસિદ્ધ બિદ્ધતૂપ આવેલા છે. ગુપ્તકાલમાં બૌદ્ધધર્મની અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું મથુરા કલાને વિકાસ ગુપ્તકાલમાં સર્વોચ્ચ કક્ષાએ પહોંચે. બુદ્ધો અને બોધિસોની પ્રતિમાઓમાં સુંદરતા અને ભાવ દેખાવા લાગ્યા. મથુરાથી સારનાથના સમગ્ર વિસ્તારમાં બૌદ્ધસંપ્રદાયનાં શિલ્પ નજરે પડવા લાગ્યાં. અજંટાના કલામંડપનું સર્જન ગુપ્તકાલમાં થયું. આમ ગુપ્તકાલ દરમ્યાન બૌદ્ધધર્મે કલાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી. ગુપ્તકાલ પછીના સમયમાં રાજ્યાશ્રયના અભાવે બૌદ્ધધર્મમાં પડતીનાં પગરણ શરૂ થયાં. શ્રી હર્ષે બૌદ્ધધર્મને રાજ્યાશ્રય આપી જીવતદાન આપવાને પ્રયત્ન કર્યો પણ તે અલ્પજીવી નીવડ્યો. તેના અંત પછી ભારતમાંથી બૌદ્ધધર્મ ધીરેધીરે લુપ્ત થવા લાગ્યા. આ પહેલાં બૌદ્ધધર્મે ભારતના પાડોશી દેશે જેવા કે શ્રીલંકા, બ્રહ્મદેશ, જાપાન, મલયદ્વીપ, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, બાલી, બેનિ) થાઈલેન્ડ, અગ્નિ એશિયાના પ્રદેશ, કંબોડિયા, ચંપા, અફઘાનિસ્તાન, તિબેટ, ચીન વગેરે પ્રદેશમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો. અહીં આજે પણ બૌદ્ધધર્મ અસ્તિત્વમાં છે. અહીંથી બદ્ધ વિહારે અને સ્તૂપના અવશેષો મળે. છે. બદ્ધસંપ્રદાયનાં અનેક સ્મારકે અહીં અસ્તિત્વમાં છે. બૌદ્ધધર્મની પડતી ભગવાન બુદ્ધની વિચારસરણી લગભગ ૭૦૦ વર્ષ સુધી ભારતમાં ટકી. રહી. ભગવાન બુદ્ધના આગમન સમયે ભારતીય સમાજ યજ્ઞો અને કર્મકાંડમાં બેલ હતું, તે સમયે ભગવાન બુદ્ધને વર્ગભેદ વિનાને ધર્મ અને અહિંસાને ઉપદેશ કાને ઘણે પ્રિય થઈ પડશે. તેમણે લોકભાષા પાલીમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અતીશય દેહદમનને વિરોધ કરી મધ્યમ માર્ગને ઉપદેશ આપે. આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy