SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધમે પર (દામોદરકુંડની પાસે) હાલમાં જોવા મળે છે. અશોકના સમયમાં મળેલ બૌદ્ધધર્મની ત્રીજી સંગીતિએ કાશ્મીર, ગાંધાર, હિમાલય પ્રદેશ, અપરાન્ત, મહારાષ્ટ્ર વગેરે - સ્થળોએ બૌદ્ધધર્મના પ્રચાર અર્થે અનેક ધર્મગુરુઓને મોકલ્યા. આ સમયે ધીરેધીરે બદ્ધધર્મ ભારતમાં અને ભારત બહાર કપ્રિય બનવા લાગે. શુંગાલમાં બદ્ધ સ્થાપત્યને સારા પ્રમાણમાં વિકાસ થશે. ભારત અને સાંચીનો સ્તૂપે અસ્તિત્વમાં આવ્યા. આ સમયે બૌદ્ધ વિહારમાં બૌદ્ધધર્મની શિક્ષા અને પ્રચારનું કાર્ય હંમેશ ચાલતું હતું. બૌદ્ધધર્મના થેરવાદી અને મહાસંધિક સંપ્રદાયમાં વિવિધ શાખાઓ ઉત્પન્ન થઈ. શુંગ કાલીન બૌદ્ધધર્મના વિદ્વાનોમાં ધર્મરક્ષિત, નાગસેન, અશ્વસેન વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. નાગસેને મિલિન્ક પ્રશ્ન” નામને મહત્ત્વનો ગ્રંથ રચ્યો હતો. કુષાણ રાજવી કણિક્કના સમયમાં બૌદ્ધધર્મમાં હીનયાન અને મહાયાન એવી બે શાખાઓ અસ્તિત્વમાં આવી. કણિષ્કના સમયમાં મહાયાન શાખાને ઘણી જ પ્રતિષ્ઠા મળી. આ સમયે ઉપાસના અને ભક્તિનું પ્રમાણ વધ્યું. બૌદ્ધધર્મમાં મૂર્તિપૂજા દાખલ થઈ. પરિણામે ગૌતમબુદ્ધની અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થયું. મૂર્તિકલાના ક્ષેત્રે મથુરા કલાને તથા ગંધાર કલાને વિકાસ થયો. સ્તૂપો, શૈ, પ્રતિમાઓ વગેરેની પૂજાને મહિમા વધ્યો. આ સમયે ત્રિપિટક ઉપરની સંસ્કૃત ટીકાઓને લિપિબદ્ધ કરવામાં આવી. ક્ષત્રપાલમાં ગુજરાતમાં પણ બૌદ્ધધર્મને સારે વિકાસ થયો. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ખંભાલીડા, સાણ, તળાજા વગેરે સ્થળે બૌદ્ધ ગુફાઓ મળી આવેલ છે. તેમાં વિહારે અને સ્તૂપ છે. તારંગામાં બદ્ધદેવી તારાનું મંદિર હતું. સાબરકાંઠા જિલ્લાના શામળાજી પાસેના દેવની મેરી નામના સ્થળેથી ક્ષત્રપ કાલીન વિશાળ તૂપ મળી આવ્યો હતો. હાલમાં મેશ્વો નદી ઉપર શ્યામ સરોવર નામનું જળાશય બંધાતાં તે સ્તૂપ પાણીમાં ડૂબી ગયેલ છે. તેમાંથી મળેલ બૌદ્ધ પ્રતિમાઓ અને અન્ય બદ્ધ અવરોષ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સંગ્રહાલયમાં સાચવી રાખવામાં આવેલ છે. ગુજરાતમાં બૌદ્ધધર્મની નોંધ લેતાં ચીની યાત્રી યુઆન શુઆંગ નેધે છે કે ભરૂચમાં બૌદ્ધોને સંધારામે છે. ત્યાં ત્રણ હજાર જેટલા મહાયાન શાખાના અનુયાયીઓ અભ્યાસ કરે છે. કચ્છના વિહારોમાં બદ્ધધર્મની હીનયાન અને મહાયાન બંને શાખાના સાધુઓ અભ્યાસ કરે છે. વલભીમાં અનેક બૌદ્ધ વિહાર આવેલાં હતાં. અહીં બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિને ધર્મ અને શિક્ષણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy