SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ બૌદ્ધધર્મ છે. નિર્વાણમાં ચિત્તના સઘળા વિકારે દૂર થઈ જાય છે. ચિત્ત અત્યંત શુદ્ધ બની જાય છે. અહીં નિવણની કલ્પનાને હિંદુધર્મની “બ્રહ્મ’ પ્રાપ્તિની સાથે સરખાવી શકાય. જેના ચિત્તમાંથી સુખ-દુઃખની ભાવના નષ્ટ થઈ જાય છે તેને કેવળ શાંતિ મળે છે. નિર્વાણમાં કેવળ શાંતિ છે. આ પરિસ્થિતિમાં નિર્વાણને અર્થ અશ્રુત અને નિત્ય ગણવામાં આવે છે. નિર્વાણ અમૃત પદ છે. ટૂંકમાં તૃષ્ણાઓને નાશ થતાં માનવી જન્મ, જરા, વ્યાધિ વગેરેની ઉપાધીમાંથી મુક્ત થાય છે. હિંદુ પુરાણમાં બુદ્ધ પુરાણે બુદ્ધને ઈશ્વરને અવતાર માને છે. વિષ્ણુના દસ અવતારમાં બુદ્ધ વિષ્ણુને નવમે અવતાર મનાય છે. ભવિષ્ય પુરાણમાં સેનાની બુદ્ધની મૂર્તિ બનાવી તેની પૂજા કરી બ્રાહ્મણને આપવાનું વિધાન છે. વરાહ પુરાણમાં બુદ્ધ દ્વાદશી–ત્રત કથા છે. એવું એક પણ પુરાણ નથી કે જેમાં બુદ્ધને નમસ્કાર કરવામાં ન આવ્યા હોય. પુરાણોમાં બુદ્ધગયાનું માહાસ્ય દર્શાવ્યું છે. અહીં ધર્મ અને ધર્મેશ્વરને નમસ્કાર કરી મહાબધિતરુને નમસ્કાર કરવાનું કહ્યું છે. ટૂંકમાં પુરાણે બુદ્ધને ઈશ્વરને અવતાર ગણે છે અને તેમના તરફ પૂજ્ય ભાવ દર્શાવે છે. બૌદ્ધધર્મમાં પૂજા ભગવાન બુદ્દે સ્થાપેલ બૌદ્ધસંપ્રદાયમાં શરૂઆતમાં મૂર્તિપૂજાને કે વ્યક્તિપૂજને કઈ સ્થાન ન હતું. બુદ્ધ પોતે પોતાની પ્રતિમા પૂજાય એવું કદાપિ ઈચ્છતા ન હતા. તેમણે પોતાના જીવન દરમ્યાન વ્યક્તિપૂજાને જરા પણ સ્વીકારી કે આવકારી નથી. તેઓ માનતા કે વ્યક્તિપૂજાથી માનવી પોતાનું મૌલિકપણું–વ્યક્તિત્વ –ગુમાવી બેસે છે, પણ તેમના નિર્વાણ પછી બ્રાહ્મણ અને જૈનધર્મ સામે ટકી રહેવા માટે બૌદ્ધધર્મમાં મૂર્તિપૂજાની માંગ વ્યાપક બની. સમય જતાં બદ્ધધર્મમાં વિચારભેદે સજતાં બે શાખાઓ અસ્તિત્વમાં આવી. આના પરિણામે મહાયાન શાખાનો જન્મ થયે. આ મહાયાને બૌદ્ધસંપ્રદાયમાં મૂર્તિપૂજાને પ્રચલિત કરી. મહાયાનની અંદર વજીયાન વિકસ્યું. તેણે મૂર્તિપૂજાને વ્યાપક પ્રમાણમાં વિસ્તારી. તે પહેલાં બૌદ્ધો ભગવાન બુદ્ધ કે બુદ્ધોનાં પવિત્ર અસ્થિઓ ઉપર અર્ધગોળાકાર સ્તૂપ ચણવતા ને તેની અર્ચના-પ્રદક્ષિણ કરતા. સ્તૂપની જેમ બેધિવૃક્ષ, બુદ્ધનું વજીસન (શિલાપટ્ટ), ભિક્ષાપાત્ર, ઈત્યાદિ પણ ચૈત્ય (પૂજવાના પદાર્થ) ગણતાં. શરૂઆતમાં સ્તૂપે આકાશ-આચ્છાતિ અર્થાત્ ઉપરથી ખુલ્લા (છાપરાં વિનાના) હતા. આગળ જતાં ઉપાસકેની સગવડ માટે એની આગળ ઊભે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy