________________
૧૩૬
ભારતીય ધર્મો મંદિરમાં પ્રતિષ્ઠા કરી વિવિધ ઉપચાર દ્વારા પૂજા થાય છે તેમ બૌદ્ધધર્મમાં પણ બેધિસત્વની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ઘણા પ્રાચીનકાલથી બેધિસત્વ મંજૂશ્રી વગેરેનાં મંદિરે અસ્તિત્વમાં આવ્યાં છે.
ભાવિ બુદ્ધ મૈત્રેય મનાય છે. તે હવે પછી જગતમાં અવતરણ કરશે અને જગતનું કલ્યાણ કરશે એમ મનાય છે. પંડ્યા
બુદ્ધના નિર્વાણ પછી ધીરેધીરે બૌદ્ધધર્મમાં મતભેદ વધવા લાગ્યા. આના પરિણામે બદ્ધધર્મમાં બે પંથે પડી ગયા. આ બે પંથે તે ઘેરવાદિઓ અને મહાસંધિકે. થેરવાદીઓ રૂઢીચુસ્ત હતા. જ્યારે મહાસંધિકે સુધારકવૃત્તિ ધરાવતા હતા. મહાસંધિ પિતાના પંથને મહાયાન (માટે માર્ગ) અને થેરવાદિઓના પંથને હીનયાન (ઊતરતા માર્ગ) કહેતાં. ધીરેધીરે આ બંને શાખાઓમાં પણ નાની મોટી અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી. જેવી કે થેરવાદ, વિભાષિક, સૌત્રાન્તિક, શન્યવાદ,વિજ્ઞાનવાદ વગેરે. યાન એટલે વાહન. હીનયાન એટલે નાનું વાહન, મહાયાન એટલે મોટું વાહન.
હીનયાનના અનુયાયીઓ ત્રિપિટક (બૌદ્ધધર્મનાં શાસ્ત્રોમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. આ શાસ્ત્રો પાલી ભાષામાં રચાયાં છે. મહાયાનના અનુયાયીઓ ત્રિપિટકમાં ફેરફાર થઈને સંસ્કૃતમાંથી બીજા ગ્રંથે ઉમેરાઈને જે વિશાળ ગ્રંથ બન્યા તેમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. મહાયાનમાં વિશાળ અર્થમાં દ્ધિધર્મની ચર્ચા કરેલ છે. મહાયાનમાં ભગવાન બુદને ભગવાન માની પૂજા કરવામાં આવે છે. હીનયાનમાં બુદ્ધને મહામાનવ ગણવામાં આવે છે. પરંતુ તેમને ઈશ્વર ગણીને તેમની પૂજા કરવામાં આવતી નથી. જોકે આ સંપ્રદાયમાં પણ બુદ્ધના અવશેષો ઉપર સ્મારક રચાય છે. પરંતુ હીનયાન સંપ્રદાયના લેકે બુદ્ધ નિર્વાણ પામ્યા હોઈ તેઓ કઈ અસર ઉપજાવી શકતા નથી તેમ માને છે. હીનયાનમાં સ્વ નિર્વાણને મહત્વ અપાય છે, જ્યારે મહાયાનના અનુયાયીઓ માને છે કે પોતે નિર્વાણ પામવું તેના કરતાં અન્યને નિર્વાણના માર્ગે દોરવા તેમાં પિતાનું અને અન્યનું કલ્યાણ રહેલું છે.
ટૂંકમાં હીનયાન પંથમાં બૌદ્ધધર્મ વિશેની ભાવનાઓને સંકુચિત છે જ્યારે મહાયાનમાં બૌદ્ધધર્મનું મૂળભૂત સ્વરૂપ વિશાળ અર્થમાં જોવા મળે છે. હીનયાન કરતાં મહાયાન વધારે લોકપ્રિય છે. નિર્વાણ
નિર્વાણ એટલે નિષેધ. બૌદ્ધધર્મમાં નિર્વાણને અર્થ તૃષ્ણા ત્યાગ એ થાય છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાની ક્રમિક સાધના દ્વારા નિર્વાણ પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org