________________
ભારતીય ધર્મ લંબચોરસ ખંડ ઉમેરા ને સ્તૂપને એની પાછળના ભાગમાં અંદર સમાવી લેવામાં આવ્યું. આવી ઈમારતને ચૈત્યગૃહ કહે છે. એમાં પછીત સ્તૂપને સમાંતર હોઈ અર્ધ ગોળાકાર હોય છે.
કુષાણકાલમાં સંકર્ષણ-વાસુદેવની પૂજા અને તેમની પ્રતિમાઓની લોકપ્રિયતા - વધતાં સમય અને સંજોગોને ધ્યાનમાં લઈ પોતાના સંપ્રદાયને ટકાવી રાખવા બદ્ધસંપ્રદાયના અનુયાયીઓને બુદ્ધની પ્રતિમાના સર્જનની આવશ્યકતા જણાતાં કણિકે પ્રજાની ઈચ્છાને માન આપી પ્રતિમાસન માટેના રાજકીય અને ધાર્મિક અવરોધ દૂર કર્યા. આના પરિણામે બદ્ધધર્મમાં બુદ્ધ અને બેધિસાની પ્રતિમાઓ પૂજાવા માંડી. મથુરા અને ગાંધારમાં બુદ્ધની ઘણી જ આકર્ષક અને ભાવવાહી પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું. ધીરેધીરે બુદ્ધની પદ્માસનમાં બેઠેલ ધ્યાનમુદ્રાવાળી પ્રતિમાઓ અસ્તિત્વમાં આવી.
આ પછી સમય જતાં હિંદુધર્મની ત્રિમૂર્તિ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-પ્રતિમાની જેમ બૌદ્ધધર્મમાં પણ મંજુશ્રી–બુદ્ધની જ્ઞાનની મૂર્તિ અવલોકિતેશ્વર–જગતને જેનાર ભગવાનનું સર્વ શક્તિમાન સ્વરૂપ અને વજપાણિ–વજી ધારણ કરનાર ભગવાનનું સર્વ શક્તિમાન સ્વરૂપ પૂજાવા લાગ્યું.
આ ઉપરાંત બદ્ધધર્મમાં પ્રતિમાની સાથે સાથે બૌદ્ધ વિહાર અને સૂપ જ્યાં બુદ્ધના અવશેષે રાખવામાં આવતા હોય છે તેવા સ્થળે, તથા બુદ્ધને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું તે જગા અને તેમના નિર્વાણની જગા કુશિનારા પણ દરેક બૌદ્ધધર્મના અનુયાયીઓ માટે વંદનીય અને પવિત્ર બની ગયાં. બૌદ્ધધર્મને પ્રસાર
- ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદી સમગ્ર જગતમાં સ્વતંત્ર વિચારો અને ધાર્મિક ક્રાંતિના સીમાચિહ્નરૂપ હતી. આ સદીમાં અનેક દેશમાં પુરાતન વિચારો અને અંધ વિશ્વાસને આઘાત આપનારા તેમ જ નવીન ચેતન પ્રગટાવનારા ધાર્મિક નેતાઓ પિદા થયા હતા. એમાં ભારતમાં થયેલા વર્ધમાન અને ગૌતમબુદ્ધ, ચીનમાં કેફયુશિયસ, ગ્રીસમાં પાયથાગોરસ, ઈરાનમાં અજરથુષ્ટ્ર વગેરે નોંધપાત્ર વિભૂતિઓ મનાય છે. આ બધા વિચારકે જગતના ધાર્મિક પ્રશ્નોને હલ કરવા સક્રિય હતા. એમણે અનેક નવીન તાર્કિક સિદ્ધાંતો દ્વારા જનતાને કઠોર અને અંધવિશ્વાસભર્યા ધાર્મિક જીવનમાંથી છૂટકારો અપાવવા માટે અદેલને શરૂ કર્યા.
આ વખતે તત્કાલીન ભારતીય સમાજમાં ધર્મના ક્ષેત્રે અનેક દેષ પ્રવર્તતા હતા. શરૂઆતમાં વૈદિક જીવનમાં વર્ણવ્યવસ્થા કર્મ પર આધારિત હતી. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org