SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બૌદ્ધધર્મ સરળ અને સચેટ હતી. બૌદ્ધશાસ્ત્રોમાં તેમને ઉપદેશ ધર્મચક્રપ્રવર્તન' નામે ઓળખાય છે. તેમણે પ્રબે ધેલ ચાર આર્યસ અને આર્ય અગમાર્ગ બૌદ્ધધર્મનાં મહત્વનાં અંગે છે. ચાર આર્યસ ભગવાન બુદ્ધે પ્રબોધેલ ચાર આર્યસત્યો નીચે પ્રમાણે છે: (૧) દુ:ખ- જગતમાં સર્વત્ર દુઃખ છે. સર્વ પદાર્થો અનિત્ય છે. દુઃખમય છે. વિષયોને ભેગવતી વખતે લાગતું સુખ પણ અંતે દુઃખ છે. જન્મ, જરા અને મૃત્યુ પણ દુઃખ છે, પ્રિયને વિયોગ દુઃખ છે, અપ્રિયને સંગ દુખ છે, ધનના ઉપાર્જન, રક્ષણ અને વ્યયમાં દુઃખ છે. ટૂંકમાં સંસારમાં સુખ છે જ નહિ.. (૨) દુ:ખ સમુદય-દુ:ખનું કારણુ–દુઃખનું કારણ તેવું જ જોઈએ. કઈ પણ કારણ વિના દુઃખ ઉત્પન થાય નહિ. દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણા દ્વારા માનવી વિષયભેગ તરફ આકર્ષાય છે. વિષયભોગ તૃષ્ણનું ઈધન છે. તેનાથી તૃણ વધે છે. ચિત્ત વ્યગ્ર બને છે. માનવજીવન માટે તૃષ્ણ જ ખરું બંધન છે. (૩) દુ:ખ નિરેધ–(દુઃખને આવતું અટકાવવું) દુઃખને આવતું અટકાવવા માટે તૃષ્ણાને નાશ કરવો જોઈએ. તૃષ્ણને નાશ થતાં જ ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે. ચિત્ત પરમ શાંતિ અનુભવે છે. (૪) દુ:ખ નિધ ગામિની પ્રતિપદા-દુઃખને આવતું અટકાવવા માટેનો ઉપાય શોધવો જોઈએ. આ માટે ગૌતમે આર્ય અષ્ટાંગ માર્ગને ઉપદેશ આપ્યું છે. આ માર્ગ તૃષ્ણા ક્ષયને ઉત્તમ માર્ગ છે. આમ ચાર આર્યસ જેમ આયુર્વેદમાં રેગ, રોગનું કારણ, આરોગ્ય, રૂખ અને ભૈષજ્ય (દવા) એ ચાર મહત્વનાં છે તેમ આધ્યાત્મશાસ્ત્રમાં દુઃખ, દુઃખહેતું, દુઃખ નિરાધ અને દુઃખ નિરોધને ઉપાય એ ચાર સત્ય છે. જેમ ડોક્ટર એગ્ય દવા આપી દર્દીને રેગ મુક્ત કરે છે, તેમ ગૌતમ દુઃખમાંથી મુક્ત થવાને આર્યસ દ્વારા ઉપાય બતાવી માનવીને દુઃખમુક્ત કરે છે. આય અષ્ટાંગ માગ આ માર્ગ કલ્યાણને માર્ગ છે. અમૃતને માર્ગ છે. આ માર્ગને મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. આ માર્ગનાં આઠ અંગે નીચે પ્રમાણે છે : ભા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy