________________
૧૨૮
ભારતીય ધર્મો કેઈની જાતિ ન પૂછે, આચરણ પૂછે. જે દુઃખથી વ્યાકુળ થતી નથી, કમલપત્ર ઉપર પડેલા પાણીના બિંદુની જેમ વિષયવાસનાથી અલિપ્ત રહે છે, જે કેને પણ પીડા કરતું નથી, ક્ષમા એ જ જેનું બળ છે, જે તદન અનાસક્ત છે તે જ સાચે બ્રાહ્મણ છે. જે કેધ કરે છે, વેર વાળવાને વિચાર કરે છે, વ્યભિચાર કરે છે, પિતાનાં પાપકર્મો છુપાવે છે તે ચંડાળ છે. બીજા ભલે કુકર્મો કરે પણ આપણે સદાય સત્કર્મ કરવા તૈયાર રહેવું. જ્યારે કોઈ પોતાના વિશે ખરાબ બેસે ત્યારે પણ શાંત અને નમ્ર રહેવું. ગુસ્સે થનાર ઉપર જે સામે ગુસ્સો કરતું નથી તે મહાન છે. ધનને લોકકલ્યાણ માટે ઉપયોગ કરે, વર્તમાનને બરાબર ઉપયોગ, કરી લેવો. ક્ષમા, સદ્વર્તન, ગુરુસેવા, પ્રિયવચન, વિવેકબુદ્ધિ, રાગ અને દ્વેષને, ત્યાગ વગેરે તેમના ઉપદેશનાં મુખ્ય અંગે હતાં.
એકવાર બુદ્ધ રાહુલને પૂછ્યું કે “દર્પણને ઉપયોગ શ? રાહુલે કહ્યું કે પોતાની જાતને જોવા માટે પિના દેહનું નિરીક્ષણ કરવા માટે દર્પણ છે.” બુદ્ધ આ સાંભળી કહ્યું કે “જેમ કે પિતાના શરીરનું નિરીક્ષણ કરે છે તેમ માનવીએ પોતાના કર્મોનું નિરીક્ષણ કરવું જોઈએ. જે તે જનહિતાય હોય તો તે ચાલુ રાખવા જોઈએ, પણ જો તે અન્યને નુકશાનકર્તા હોય તે તેવાં કર્મ ફરીથી ન કરવાનો નિશ્ચય કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ.' બુદ્ધ અનેકવાર ભિક્ષુઓને સંઘનું મહત્વ સમજાવી કહ્યું છે કે “જ્યારે ચિત્તમાં ખરાબ વિચાર આવે ત્યારે સારા વિચારેને બળપૂર્વક ચિત્તમાં લાવવા. વિકારમાંથી મુક્ત થવા સંધનું શરણ લેવું જોઈએ. ધર્મ અને જ્ઞાનીને શરણે જવું જોઈએ.'
તેમના ઉપદેશની વિશિષ્ટતા એ હતી કે તેમાં દેહદમન કે વર્ણભેદને સ્થાન ન હતું. મધ્યમ માર્ગને ઉપદેશ તે સાદાં અને સરળ દષ્ટાંતો દ્વારા આપતા. લેકભાષામાં તેઓ ઉપદેશ આપતા હોવાથી દરેકને સમજાતે હતો. તેમના વ્યક્તિત્વ અને વર્તનથી તે સવ ને પ્રિય બન્યા હતા. " એક રીતે જોઈએ તે કઈ ગૂઢ તત્ત્વજ્ઞાનવાળે નવો ધર્મ ભગવાન બુદ્ધ સ્થાપ્યો નથી, પણ પિતાના જમાનાને અનુરૂપ નવી વિચારસરણી પ્રગટાવી છે. તેમણે પોતાના માર્ગને આર્યજનેના માર્ગ તરીકે ઓળખાવ્યું છે. તેમણે હિંસા સામે અહિંસાને ઉપદેશ આપ્યા છે. તેમની વાણીમાંથી સદાય કરુંણુ નીતરતી હતી. તેમણે કામવાસના અને અતિશય દેહદમનને ત્યાગ કરવાનું કહ્યું. તેમને ઉપદેશ મધ્યમ માર્ગ તરીકે ઓળખાય છે. તેમને સમગ્ર ઉપદેશ તે મહીસાગર એટલે વિસ્તૃત અને ગંભીર છે. તેમણે મુખ્યત્વે ત્રણ વસ્તુઓને ઉપદેશ આપે છે: શીલ (ચારિત્ર્ય, સમાધિ (ચિંતન) અને પ્રશ. તેમની ઉપદેશ આપવાની પદ્ધતિ સાદી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org