________________
ઔદધર્મ
૧૨૭ ગૌતમ નદીકિનારે ધ્યાનસ્થ અવસ્થામાં હતા તેવામાં નજીકના નગરમાં ગાયનવાદન કરવા નર્તકીઓની એક ટેળી પસાર થઈ રહી હતી. તેમનામાંથી એકના શબ્દ ગૌતમને કાને પડયા કે “તારી વીણાના તાર તું એટલા તાણીશ નહિ કે તે તૂટી જાય અને એટલા ઢીલા ન રાખીશ કે તેમાંથી સ્વર ન નીકળે.' જે જ્ઞાન ગૌતમને આચાર્યું કે ગુરુજને ન આપી શક્યા તે જ્ઞાન આ નર્તકીદે આપ્યું. તેમને જીવનને મધ્યમ માર્ગ જડ્યો. તેમણે ભિક્ષા સ્વીકારવાનો નિર્ણય કર્યો. પણ અહીં નિર્જન વનમાં તેમને કેણુ ભિક્ષા આપે ? પણ જાણે કુદરતે ગૌતમ માટે સગવડતા કરી રાખી હોય તેમ આ વૈશાખી પૂર્ણિમાના દિવસે સુજાતા નામની બાજુના નગરના ઠાકરની એક કન્યા એ વખતે પોતાની બાધા પૂર્ણ કરવા વનદેવતાને ખીર ખવડાવવા અહીં આવી. તેણે ગૌતમને ખીરની ભિક્ષા આપી. ગૌતમનું ચિત્ત નિર્મળ થયું. જેમ જેમ રાત્રી વધતી ગઈ તેમ તેમ ગૌતમનું અજ્ઞાન દૂર થવા લાગ્યું. આખરે ગૌતમને બધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ બુદ્ધ બન્યા. તેમને પરમ શાંતિ થઈ. સાત દિવસ સુધી વિમુક્તિના સુખને અનુભવતા તેઓ તે સ્થાન પર રહ્યા. સાતમી રાત્રીના છેલ્લા પ્રહરે તેમણે કહ્યું કે “ધર્મજ્ઞાનને સાક્ષાત્કાર થાય છે ત્યારે માર” સેનાને નાશ થાય છે, પરમજ્ઞાન સૂર્યની જેમ પ્રકાશે છે. આ વખતે તેમની ઉંમર છત્રીસ વર્ષની હતી. આ સ્થળ હાલ બુદ્ધગયા કે બેધિગયા તરીકે ઓળખાય છે.
સિદ્ધાર્થ હવે બુદ્ધ બન્યા. બુદ્ધ એટલે જગેલા, જ્ઞાની. તમે પોતે જાગ્યા અને તેમણે જગતને જગાડયું. તેમને પિતાને જે જ્ઞાન મળ્યું, તેને ઉપયોગ જનકલ્યાણ માટે કરવાને નિર્ણય કર્યો. તેમણે પ્રથમ ઉપદેશ સારનાથમાં (કાશી પાસે) આપ્યો. તેને ધર્મચક્રપ્રવર્તનનું સ્થળ કહે છે. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અનેક
સ્થળોએ ફરીને ધર્મોપદેશ કર્યો. છેવટે વૈશાલી નજીક ૮૦ વર્ષ ની ઉંમરે કુશીનારામાં (હાલના બિહાર રાજ્યમાં) નિર્વાણ પામ્યા. બુદ્ધને ઉપદેશ
ગૌતમબુદ્ધ આપેલ ઉપદેશ ત્રિપિટક ગ્રંથમાં સંગ્રહવામાં આવેલ છે. ત્રિપિટક એટલે ત્રણ પિયક–વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. વિનય પિટકમાં સાધુઓ માટેની આચારસંહિતા, સુત્ત પિટકમાં ધર્મ વિશેનાં સૂત્ર (પ્રવચન) તથા અભિધમ્મ પિટકમાં બૌધ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરેલ છે. આ સર્વગ્રંથે પાલિ ભાષામાં છે.
બુદ્ધને ઉપદેશ સમગ્ર માનવજાત માટે હતા. તેઓ કહેતા કે જન્મથી કઈ ઉચ્ચ કે નીચ નથી. જે સારા કર્મો કરે તે ઉચ્ચ અને ખરાબ કર્મો કરે તે નીચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org