________________
૧૨૪
ભારતીય ધર્મો સમાજમાં વર્ણપ્રથા પ્રચલિત હતી. પૂર્વ ભારતમાં ક્ષત્રિયેનું વર્ચસ હતું. પશ્ચિમ ભારતમાં બ્રાહ્મણનું વર્ચસ હતું. બ્રાહ્મણે જાતિભેદના પિષક હતા. ઘણા કલેકે વંશપરંપરાગત ધંધાને છોડી અન્ય ધંધા તરફ વળ્યા હતા. કર્મકાંડ દ્વારા આજીવિકા મેળવવો મુશ્કેલ બનતાં બ્રાહ્મણે ખેતી અને રાજ્ય તરફ વળ્યા હતા. શો નાના મોટા વ્યવસાય જેવા કે સૂથારીકામ, ધાતુકામ, માટીકામ વગેરે કરતા. ચાંડાલ, પુક્કસ વગેરે અત્યંત હીન જાતિઓ તરીકે ઓળખતી. સમાજમાં ગુલામીની પ્રથા વ્યાપક પ્રમાણમાં વિસ્તરી હતી. દાસના સંતાન દાસ જ રહેતા. ઉચ્ચ જાતિ ગણુતા ત્રણ વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈો નીચલા વર્ગ સાથે ખાસ સંબંધ રાખતા નહિ. સમાજમાં ઉચ્ચ-નીચના ભેદભાવ સ્પષ્ટ હતા.
પ્રજાને સામાન્ય વર્ગ પશુપાલન કરતા હતા. સમાજને વિશાળ વર્ગ ખેતી પ્રધાન બની ગયો હતો. ખેડૂતો પાસેથી ય માટે વિના મૂલ્ય પશુઓ પડાવી લેવામાં આવતાં હોવાથી તે વર્ગ ધીરેધીર બ્રાહ્મણોથી વિમુખ બનતા જતા હતા. રાજ્યમાં જુદા જુદા વ્યવસાયે કરનારાઓના સંઘે અસ્તિત્વમાં આવતાં ધનિકોને એક સમર્થ વર્ગ અસ્તિત્વમાં આવ્યું હતું. સમાજમાં અને રાજ્યમાં તેમની ખૂબ પ્રતિષ્ઠા હતી. રાજાએ તેમને ખૂબ માન આપતા અને અવારનવાર રાજ્યના કાર્યોમાં તેમની સલાહ લેતા. રાજગૃહના મહા શ્રેષ્ઠીનું એટલું બધું માન હતું કે મગધ રાજવી બિંબિસાર જાતે તેના નિવાસે સલાહ લેવા અવારનવાર જતા. આના પરિણામે સમાજમાં ગરીબ અને તવંગરના ભેદ વર્તાવા લાગ્યા.
ટૂંકમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં સમાજમાં જાતિભેદના સૂર વધ્યા. ખેડૂતે યોથી વિમુખ બનવા લાગ્યા. માલિક અને કામદારવર્ગ અસ્તિત્વમાં આવ્યું. ગરીબ અને તવંગરના ભેદ મજબૂત બન્યા.
- ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ધાર્મિક ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફાર થયા. વૈદિક ક્રિયાકાંડ અને જીવહિંસા વિરુદ્ધની વિચારધારા પ્રબળ બનતાં સમાજને વિશાળ વર્ગ તેના તરફ આકર્ષાયે કર્મકાંડની જડતાના સ્થાને અધ્યાત્મવિદ્યાએ આકર્ષણ જમાવ્યું. આના પરિણામે બ્રાહ્મણોનું વર્ચસ ધીરેધીરે ધટવા લાગ્યું. યજ્ઞોમાંથી લેકેની શ્રદ્ધા ઓછી થવા લાગી. બ્રાહ્મણનું કોઈ મોટું સંગઠન ન હતું. સાધારણ જનસમાજમાં એવાં કાઈ મંદિરે ન હતાં કે જ્યાં લેકે વિધિવત્ પૂજા કરી શકે. વૃક્ષપૂજા અને નાગપૂજા પ્રચલિત હતી. તંત્રવાદ લેકેને ભય પમાડતો હતો.
સમાજમાંથી વેદની પકડ ઢીલી પડતી જતી હતી. ધાર્મિકક્ષેત્રે અનેક આચાર્યો અને ચિંતકે ઉભવ્યા હતા. તેમણે વિદિક પરંપરાથી ભિન્ન એવા મુક્તિના માર્ગને ઉપદેશ શરૂ કર્યો. જોકે તેમની તરફ આકર્ષાયા. વેદના પ્રમાણને ફગાવી દેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org