________________
ધદ્ધર્મ
ભારતની ધર્મપરંપરામાં જૈનધર્મ પછી બીજે અહિંસાપ્રધાન અગત્યને ધર્મ તે બદ્ધધર્મ. માનવજાતને પ્રેરણું આપનાર જે મહાપુરુષે ભારતે આપ્યા છે તેમાં ગૌતમબુદ્ધનું સ્થાન અદ્વિતીય છે. કવિ આર્નોલ્ડ કહે છે તેમ “ભગવાન બુદ્ધ એશિયાનું નુર હતા (Light of Asia). ભારતીય ધર્મ, સાહિત્ય ને સમાજ ઉપર તેમની અસર ઘણી મેટી છે. ભારતીય કલાને ઇતિહાસમાં બૌદ્ધકલા એ તે એક સ્વતંત્ર પ્રકરણ છે.
ભગવાન બુદ્ધના જન્મ સમયે ભારત અનેક નાનાં મોટાં રાજ્યમાં વહેંચાયેલું હતું. મગધ, કાશી, કોશલ, કુરુ, પાંચાલ, વૈશાલી, અવંતી, ગંધાર વગેરે નોંધપાત્ર ગણરાજ્ય હતાં. આ ગણરાજ્યોમાં રાજકીય અવ્યવસ્થા વર્તાતી હતી. સત્તાની સરસાઈ માટે તેઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલતું હતું. આના પરિણામે પ્રજાકલ્યાણની ભાવના રાજવીઓમાંથી નષ્ટ થઈ હતી. તેઓ પરસ્પર દ્વેષ અને ઈર્ષાના પરિણામે એકબીજાને નાશ કરવા સદાય તત્પર રહેતા. ધીરેધીરે ગણરાજ્યોને નાશ થતાં મગધ, અવંતી જેવાં વિશાળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં.
- વજ્જિ ગણરાજ્ય અને મલ્લ ગણરાજ્ય આ બે ગણરાજ્ય બળવાન હતાં. બીજા ગણરાજ્ય નબળાં પડી ગયાં હતાં. મગધ, કેશલ, વત્સ અને અવંતિ પિતાની આસપાસનાં નાનાં ગણરાજ્યોને જીતીને પિતાની સત્તા વિસ્તારવા મથતાં હતાં. કાશી કેશલનું અંગ બની ગયું હતું. શકરા કેશલની સત્તા સ્વીકારી હતી. મગધે અંગજન પદને પિતાને આધીન કરી દીધું હતું. આ ચારે રાજ્ય વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલતો હતો.
ગણરાજ્યમાં સત્તાધીશે ચૂંટાયેલા ન હતા, પણ એક જાતિના વડાઓ વંશ પરંપરાગત રીતે સત્તા મેળવતા, સભાના સભ્ય બનતા. રાજાઓ સભાના સહકારથી રાજકીય નિર્ણય લેતા. રાજાઓને જુલમી બનતા અટકાવે તેવી કોઈ મહાસત્તા ન હતી. ધીરેધીરે રાજાઓમાં એકઠ્યક્રી શાસન સ્થાપી ચક્રવતી થવાની ભાવના વિકસી. ટૂંકમાં વેર અને ઈષ્યની આગમાં ધીરેધીરે સર્વ ગણરા હેમાતાં જતાં હતાં. મગધના એક સત્તાક રાજ્યને ઉદય થતું જતું હતું,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org