SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ કરતાં, મકાન બનાવતાં વગેરે કાર્યો શીખવી જીવન ઉપયેગી ધંધાના માર્ગે વાળ્ય. માનવી જંગલી અવસ્થામાંથી સંસ્કૃતિના માર્ગે વળ્યો. તે સમયે સમાજમાં ભાઈબહેન વચ્ચે લગ્નની પ્રથા પ્રચલિત હતી. ત્રાષભદેવની પુત્રી સુંદરીએ ભરતની લગ્નની માગણી ફગાવી દઈ સામાજિક ક્રાંતિ કરી. આના પરિપાકરૂપે ભારતમાંથી ભાઈ-બહેન વચ્ચેની લગ્નની પ્રથા નાબૂદ થઈ. સમાજમાં નીતિનાં ધોરણે સ્થપાયાં. જૈનધર્મો સમાજમાં જીવદયાની ભાવના વિકસાવી. આનાથી આમજનતા ઉપર પ્રાણી રક્ષાના સંસ્કાર પડયા. ઘણે ઠેકાણે શુભપ્રસંગેએ પશુ-પક્ષીના વધની પ્રથા બંધ થઈ. લેકમાં માંસાહાર એ છે થયે. વ્યસનેમાં ડૂબેલી અનેક જતિઓ સંસ્કારી બની. આજે સાધારણ માનવી પણ છવમાત્રની હિંસા પ્રત્યે અરૂચિ દર્શાવે છે. વેદકાલીન યજ્ઞામાંથી હિંસા બંધ થતાં જૈનેતર પ્રજાના આચારવિચારમાં ઘણે તફાવત પડી ગયા. તપ અને સદાચારનું મહત્વ તેમને સમજાયું. આજે તે મુસલમાને તેમ જ બીજી માંસાહારી પ્રજા પણ જાહેરમાં માંસ-દારૂને ઉપયોગ કરતાં ખચકાય છે. જૈનધર્મનું આ એક સર્વોત્તમ પ્રદાન છે. તેણે મુઘલ બાદશાહ અકબર જેવાને પણ પોતાના રાજયમાંથી અમારી દ્વારા જીવહિંસા અટકાવવાની પ્રેરણું આપી. સમાજમાં જીવદયાની ભાવના વિકસતાં પ્રાણુરક્ષા માટેના પ્રબંધ થવા લાગ્યા. વૃદ્ધ પશુઓને કતલખાને જતાં અટકાવવા માટે અનેક ઠેકાણે પાંજરાપોળે જેવી સંસ્થાઓ સ્થપાઈ. આ સંસ્થાઓ માટે ધનિકેએ મેટે દાનને પ્રવાહ વહેવડાવ્યું. પક્ષીઓ માટે ઠેર ઠેર, ગામડે ગામડે અને લત લતે પરબડીઓ બંધાઈ. ગુજરાતમાં આ પ્રવૃત્તિને સારે વિકાસ થતાં તેની અસર ભારતના અન્ય પ્રદેશમાં પણ થવા લાગી. અનેકાન્તવાદ એ જૈનધર્મને એક મૌલિક સિદ્ધાંત છે. તેમાં દરેક વસ્તુને ચારેબાજુથી ચકાસવો જોઈએ. વિવાદાસ્પદ વિષયમાં વિરોધ પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી વિચારવો જોઈએ. આના પરિણામે પ્રજાજીવનના અનેક સંઘર્ષો દૂર થઈ જાય છે. કોર્ટ-કચેરીના અનેક પ્રશ્નો-ઝઘડાઓ સહકાર અને સમાધાનથી ઉકેલી શકાય છે. જૈનધર્મ માનવીને જીવનના અંત સુધી પ્રવૃત્તિમય રાખે છે. તે માને છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ માનવકલ્યાણના એક જ સિક્કાની બે બાજુ છે. એટલે માનવી નિવૃત્તિમાં પણ માનવકલ્યાણકારી પ્રવૃત્તિ દ્વારા સંતોષ અને આનંદથી જીવન જીવી શકે છે. નિવૃત્તિ એટલે માનસિક અને શારીરિક કાર્યમાં પરિવર્તન, એ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy