SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ભારતીય ધર્મો પામ્યા હોવાથી આ સ્થળ જેનેનું યાત્રાધામ મનાય છે. અહીં અનેક નાનાં મોટાં જૈન મંદિરો આવેલાં છે. ગિરનાર ઉપર આવેલું નેમિનાથનું મંદિર ઘણું પ્રાચીન મનાય છે. અહીં વાઘેલા રાજવી વિરધવલના મહામાત્ય વસ્તુપાળે વસ્તુપાળ વિહાર નામે સુંદર જૈન મંદિર બંધાવ્યું છે. - આ ઉપરાંત ગુજરાતમાં આબુ, શત્રુંજય, શંખેશ્વર, તારંગા, ભદ્રેશ્વર, પાટણ, કુંભારિયા વગેરે જૈનસંપ્રદાયનાં યાત્રાધામે છે. અહીં ઘણું સંતે નિર્વાણ પામેલા. હોવાનું મનાય છે. શત્રુંજયના સ્પર્શમાત્રથી માનવી પાપમુક્ત થાય છે તેમ ઘણું જેને માને છે. આબુ પર્વત ગુજરાતની ઉત્તર-પશ્ચિમે આવેલ છે. તે હવે રાજસ્થાનમાં ગણાય છે પણ ત્યાંનાં મંદિરના નિર્વાહમાં ગુજરાતના વણિકને વિપુલ ફાળે. રહેલ છે. આબુ તેનાં જૈન મંદિરે માટે પ્રખ્યાત છે. અહીંનાં જૈન મંદિરે વિમલવસહિ અને લૂણસહિ સ્થાપત્યકલાને ઉત્તમ નમૂના છે. આ મંદિરમાં વિમલવસહ રાજા ભીમદેવ ૧લાના મંત્રી વિમલમંત્રીએ તથા લૂણસહિ પિતાના પુત્ર ભૂણિગની યાદમાં વીરધવલના મહામાત્ય તેજપાલે બંધાવ્યું હતું. અહીં જૈન યાત્રાળુઓ માટે સારી ધર્મશાળાઓ બાંધવામાં આવી છે. આ મંદિર સ્થાપત્યકલાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. અહીં હજારે લેકે દર વર્ષે યાત્રાએ આવે છે. વીસમા તીર્થંકર મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હોવાથી આ સ્થળ જૈનેનું યાત્રાધામ છે. આ ઉપરાંત દરેક તીર્થ કરના જન્મસ્થળ તથા કાર્યક્ષેત્ર પણ જૈનને મન યાત્રાધામ સમાન છે. આથી શત્રુ જ્ય, ગિરનાર, પાવાપુર (હાલના બિહાર રાજ્યની ઉત્તરે) રાજગૃહ વગેરે અનેક સ્થળોએ જેને દર વર્ષે યાત્રાએ જાય છે. અનેક ધનિકે મેટા સંઘ કાઢી યાત્રાનું પુણ્ય લે છે. જૈનધર્મનું ભારતીય સંસ્કૃતિમાં પ્રદાન શ્રમણ પ્રવાહમાંથી ઉદ્દભવેલ જૈનધર્મ એક આચારપ્રધાન ધર્મ છે. તેમાં સત્ય, અહિંસા અને કર્મનું મહત્વ સવિશેષ છે તેથી તેના સર્વ આચારે અહિંસાપ્રધાન છે. જેને માને છે કે મનુષ્યને પાપવૃત્તિ, હિંસા, વેરવૃત્તિ વગેરે દુગુણેથી બહાર લાવી અહિંસા દ્વારા મેક્ષના માર્ગે વાળવાની જૈનધર્મમાં તાકાત છે. આથી ભારતીય સંસ્કૃતિ અહિંસાપ્રધાન બનાવવામાં જૈનધર્મને ફાળો વિશેષ છે. જૈન પરંપરા પ્રમાણે આદ્ય તીર્થકર ઋષભદેવે આદિમાનવને લખતાં, ખેતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy