SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૧ નોંધપાત્ર ફાળે આપતા હતા. ગુજરાતમાં આ સમયે લોકશાહે ન ગછ શરૂ કર્યો હતે. આ ગચ્છના અનુયાયીઓ ટૂંઢિયા” નામે ઓળખાતા. ટૂંકમાં સલ્તનતકાલ દરમ્યાન અનેક અવરોધ વચ્ચે જૈન સમાજે જૈનધર્મને ટકાવી રાખ્યો હતો. મુઘલકાલ દરમ્યાન મુગલ બાદશાહ અકબરની ધર્મનીતિના પરિણામે જૈન મંદિર બાંધવાની પ્રવૃત્તિમાં ઠીક ઠીક સુધારે થયો. બાદશાહ અકબરના દરબારમાં જૈન સૂરિ હીરવિજ્યજીએ મહત્તવનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેમની પ્રેરણાથી રાજ્યમાં અમારી ઘોષ જાહેર કરી હતી. પરિણામે અનેક જીવોની હિંસા અટકી ગઈ. અહિંસા અને જીવદયાની ભાવનાને વિકાસ થયે. આ સમયે અમદાવાદમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ ચિંતામણી પાર્શ્વનાથનું સુંદર મંદિર બંધાવ્યું હતું. ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું. - મુઘલકાલ પછીના સમયમાં રાજકીય અવ્યવસ્થાની કઈ અસર જૈનધર્મ ઉપર જણાતી નથી. જૈન ધર્મગુરુઓ ભારતના ખૂણે ખૂણે ફરીને પિતાના સંપ્રદાયને પ્રચાર કરતા હતા. તેઓ ધર્મપ્રચારની સાથે ધાર્મિક સાહિત્યના સર્જનનું પણ ઉત્તમ કાર્ય કરતા હતા. આ સમયે ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયના બે ગ૭ તપાગચ્છ અને ખરતર ગચ્છના મતભેદે ઉગ્ર બનતાં હીરવિજયસૂરિએ બનને વચ્ચે સમાધાન કરવા બારબેલ નામની આજ્ઞાઓ જાહેર કરી હતી. બ્રિટિશ સમયમાં ધાર્મિક અવરને અંત આવ્યો. જેને પિતાના આચાર સ્વતંત્રતાથી પાળી શકતા. અનેક ઠેકાણે જૈનધર્મનાં મંદિરે, ઉપાશ્રય, ધર્મશાળાઓ વગેરે બાંધવામાં આવી. સમગ્ર ભારતમાં જેને પિતાનું અલગ અસ્તિત્વ ટકાવી રાખવા સક્રિય બન્યા. યાત્રાધામ ભારતમાં જૈનધર્મનાં ઘણાં નેધપાત્ર યાત્રાધામે આવેલાં છે. એમાંનાં ઘણખરાં પર્વત ઉપર છે. જૈનધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હિમાલયમાં આવેલા અષ્ટાપદ (કૈલાસ)માં નિર્વાણ પામેલા મનાય છે. એમના પછીના મહાવીર અને નેમિનાથ સિવાયના અન્ય સમેત શિખર ઉપર નિર્વાણ પામ્યા હોવાથી આ સ્થળ જેનું મુખ્ય યાત્રાધામ મનાય છે. આ સ્થળ પાશ્વનાથના નામ ઉપરથી પારસનાથ પર્વતના નામે ઓળખાય છે. તે બિહારના હજારીબાગ જિલ્લામાં આવેલું છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર પર્વત ઉપર નિર્વાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy