________________
૧૧૪
ભારતીય છે ભારતમાં જૈનધર્મને પ્રસાર
પ્રાચીન ધર્મગ્રંથને આધારે જણાય છે કે જૈનધર્મ વેદકાલ જેટલું પ્રાચીન છે. હડપ્પા અને મહેજો-દડેના પ્રાગૂ વેદકાલીન સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલી કેટલીક માનવ મુદ્રાઓ તથા વૃષભની મુદ્રાઓ ઉપરથી કેટલાક વિદ્વાને જૈનધર્મને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળવા પ્રયત્ન કરે છે પણ તેના વિશે કઈ ચોક્કસ
ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. જૈનધર્મના આદ્ય તીર્થકર ઋષભદેવ વિશેના ઉલ્લેખો વેદમાંથી મળે છે. તેમને વિષાણુના ચોવીસ અવતારમાંના એક અવતાર તરીકે ઓળખાવ્યા છે.
જૈનધર્મના વીસમા તીર્થંકર મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ સમકાલીન નહતા એવા પ્રમાણે ધર્મગ્રંથોમાંથી મળે છે. તેમનું કાર્યક્ષેત્ર બિહારમાં ચંપા, વિશાલી, રાજગૃહ, મિથિલા, શ્રાવસ્તી વગેરે પ્રદેશમાં વિસ્તર્યું હતું. પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. પાર્શ્વનાથ અને મહાવીરે ભારતમાં જૈનધર્મને કપ્રિય બનાવ્યું હતું.
મહાવીરને મૃત્યુ બાદ જૈન સાધુઓમાં આચાર સંબંધી મતભેદે વધવા લાગ્યા. જૈન અનુશ્રુતિ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઉત્તર ભારતમાં ભયંકર દુકાળ પડતાં કેટલાક સાધુએ દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. દુકાળની પરિસ્થિતિને લીધે ઉત્તર ભારતમાં રહેલા સાધુઓને પોતાના અહિાર અને આચારમાં ફેરફાર કરવો પડ્યો. દુકાળની પરિસ્થિતિ થાળે પડતાં દક્ષિણમાં ગયેલા સાધુઓ પાછા આવ્યા. અહીંના સાધુઓના આચાર જોતાં તેઓ વચ્ચેના મતભેદે વધી ગયા. ધીરેધીરે તેમાંથી જૈનધર્મની વિવિધ શાખાઓ અસ્તિત્વમાં આવી. પિતાની ઉત્તરાવસ્થામાં ચંદ્રગુપ્ત મૌર્યે જૈનધર્મની દીક્ષા લીધી હતી એમ મનાય છે. આજ વંશના અશોક પછીના રાજવી સંપ્રતિએ જૈનધર્મને રાજ્યાશ્રય આપી તેના પ્રસારમાં નોંધપાત્ર ફાળો. આપ્યો હતો. ધીરેધીરે જૈનધર્મ કલિંગ, મથુરા, માળવા, ગુજરાત અને દક્ષિણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો. મથુરામાંથી ઈ. સ. પૂ. બીજાથી ઈ. સ.ના પાંચમા સૈકા સુધીના અભિલેખે પરથી જણાય છે કે આ સમય દરમ્યાન મથુરા જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. આ સમય દરમ્યાન જૈનમાં તીર્થંકરની પૂજા સાથે ઇતર દેવદેવીઓ જેવી કે સરસ્વતી વગેરેની પૂજા પ્રચલિત થઈ હતી. માળવાના પ્રદેશમાં કાલિકાચા જૈનધર્મને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતે.
ગુપ્તકાલ દરમ્યાન ભાગવત ધર્મની સરખામણીએ જૈનધર્મને વિકાસ થયો. ન હતા. આમ છતાં તે હિંદુધર્મ સામે ટકી રહ્યો હતો. ત્યાર પછીના સમ્રાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org