SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ટૂંકમાં જૈનધર્મમાં વિવિધ સંપ્રદાયે હોવા છતાં તેઓમાં કઈ પાયાના સિદ્ધાંતે બાબતને વિરોધ નથી. તેમને વિરોધ કેવળ સાધુ-સાધ્વીઓના આચારમાંથી ઉદ્દભવ્યું છે. શાળ્યો - જૈનધર્મનાં શાસ્ત્રો આગમ ગ્રંથને નામે ઓળખાય છે. આગમ ગ્રંથના બે વિભાગ છેઃ (૧) પૂર્વ (૨) અંગ. પૂર્વની સંખ્યા ચૌદ છે અને અંગેની સંખ્યા મૂળમાં ૧૨ છે પણ એમાં દષ્ટિવાદ લુપ્ત થઈ ગયેલું હોવાથી ૧૧. આ ઉપરાંત ૧૨ ઉપાંગે, ૬ છેદ સૂત્ર, ૪ ભૂલસૂત્ર, ૧૦ પ્રકીર્ણક, ૨ છૂટાં સૂત્રોઅનુયોગહારસૂત્ર અને નંદિસૂત્ર, આમ બધાં મળી કુલ ૪૬ની સંખ્યા છે. કેટલાક માને છે કે આ ગ્રંથ મહાવીર સ્વામીએ રચ્યા છે, પણ હકીકતમાં મહાવીર સ્વામીના ઉપદેશ તેમના શિષ્યોએ ગ્રંથસ્થ કર્યો છે. આગમ ગ્રંથોનું સાહિત્ય ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સ્થૂલભદ્ર તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ શાસ્ત્રોની ભાષા અર્ધમાગધી છે. તેમાં તીર્થકરોને ઉપદેશ, ચારિત્ર્ય, ધર્મપ્રવર્તકોનાં જીવનચરિત્ર, તત્વજ્ઞાન, તીર્થો, વ્રત વગેરે વિવિધ વિષય ઉપર ચર્ચા કરેલ છે. ભારતીય સાહિત્યમાં જૈન આગમ ગ્રંથે આગવું સ્થાન ધરાવે છે. અંગ” શાસ્ત્રમાં આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ-સમવાયાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકાશ્ચયનાંગ, અન્નકૃતદશા, પ્રશ્ન વ્યાકરાણગ, વિપાકસૂત્રાંગને સમાવેશ થાય છે. ઉપાંગમાં પયાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રાપ્તિ, જે બુદ્ધીપતિ, ચંદ્રપ્રતિ, નિયાવલી, કલ્પાવંતસિકા, પુપિકા, પુષ્પચૂલિકાવૃષ્ણિદશા વગેરે ગ્રંથને સમાવેશ થયેલ છે. આ સર્વેમાં તીર્થકરેની સ્તુતિ અને રાજાઓનાં ચરિત્ર આપેલ છે. આ ઉપરાંત અન્ય શાસ્ત્રગ્રંથમાં નિશીથ, મહાનિશીથ, આચારદશા, બહટૂંક૯પસૂત્ર, ઉત્તરાધ્યન, આવશ્યક વગેરે ઘણા નેધપાત્ર છે. આ સાથે ઘણું જૈન સૂરિઓએ કાવ્ય, વ્યાકરણ, ધર્મસિદ્ધાંત, વિજ્ઞાન, નાટક, તિષ, મંત્રશાસ્ત્ર, ધર્મકથાઓ, પ્રબંધે વગેરે વિષય ઉપર નેધપાત્ર ગ્રંથ રચ્યા છે. જૈન શાસ્ત્રગ્રંથ રચવામાં સમદેવસૂરિ, રત્નસિંહ, શાન્તિસૂરિ, હણકીર્તિ, જિનસેનસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ, હેમચંદ્રાચાર્ય, મેરૂતુંગ, દેવચંદ્ર, ધનપાલ, હરિભદ્રસૂરિ, હીરવિ યસરિ વગેરેએ મહત્વને ફાળો આપે છે. હેમચંદ્રાચાર્ય રચિત “સિદ્ધહેમ' નામને વ્યાકરણ ગ્રંથ ભારતને એક ઉત્તમ ગ્રંથ ગણાય છે. ભા. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy