________________
૧૧૨
ભારતીય ધર્મો
બંગાળમાં કલકત્તા તેમ જ ભારતના પશ્ચિમના પ્રદેશોમાં આ પંથના અનુયાયીઓની સંખ્યા વિશેષ છે. દિગંબર સંપ્રદાયની શાખાઓ
આ સંપ્રદાયની ત્રણ શાખાઓ છેઃ (૧) તેરાપંથ (૨)બીસપંથ (૩) તારણપથા
(1) તેરાપંથ-આ પંથના આદ્યસ્થાપક આગ્રાના બનારસીદાસે અઢારમી સદીમાં જૈન મઠના ઉપરીઓના આચારના વિરોધમાં આ પંથની સ્થાપના કરી. આ પંથના અનુયાયી એ જૈન મઠના અધિપતિને માન આપતા કે પ્રતિમાને એને શણગારતા નથી. તેઓ પૂજામાં પુરુષ અને કેસરને નિષેધ કરે છે
(4) બીસપંથ– જૈન મઠના અધિપતિના આચારના ટેકેદારે બીસપંથી તરીકે ઓળખાય છે. તેઓ નગ્ન પ્રતિમાની પૂજા પ્રણાલિકાગત કરે છે. પૂજામાં ધૂપ, દીપ, પુષ્પ, નૈવેધ વગેરેનો ઉપયોગ કરે છે. તેઓ દિગંબરના ધર્મગ્રંથમાં માને છે.
() તારણ પંથ-આ પંથના આદ્યસ્થાપક ગ્વાલિયર રાજ્ય તારણતરણ સ્વામી હતા. આ પંથના અનુયાયીઓ મંદિરે બાંધે છે પણ પ્રતિમાને સ્થાને ધર્મગ્રંથ રાખે છે. પૂજામાં પુપ, નૈવેધ વગેરેને ઉપયોગ કરતા નથી. આ સંપ્રદાયના અનુયાયીઓ મધ્ય પ્રદેશમાં સવિશેષ જોવા મળે છે.
આ ઉપરાંત દ્રાવિડસંધ, કાષ્ઠસંઘ, યાપનીયસંધ વગેરે સંઘ નોંધપાત્ર છે. થા૫નીયસંઘ
જૈનધર્મમાં વેતાંબર અને દિગંબર સંપ્રદાય ઉપરાંત આ યાપનીયસંઘ પણ એક નેધપાત્ર શાખા છે. આ સંઘની સ્થાપના શ્રીકલશ નામના વેતાંબર સાધુએ ઈ. સ. ૧૪૮માં કરી હતી. આ શાખાને ઉદ્દભવ કર્ણાટક પ્રદેશમાં થયો હોય તેમ કનડ પ્રદેશના અભિલેખે પરથી જણાય છે. આ સંઘના સાધુઓ મુખ્યત્વે બેલગામ જિલ્લાના સોનદત્તી તાલુકાના હોસર અને મનેલી વિસ્તારમાં જોવા મળે છે.
આ પંથના સાધુઓ શ્વેતાંબર અને દિગંબર પંથને સમન્વય કરીને પોતાના આચાર પાળે છે. તેઓ નગ્ન રહે છે. મયુર પિચછને રણે હાથમાં રાખે છે. હાથમાં ભેજન કરે છે. તે સાથે તેઓ સ્ત્રીઓને મોક્ષમાં માને છે. શ્વેતાંબરેના કેટલાક ધર્મગ્રંથને તેઓ સ્વીકારે છે. આ સંપ્રદાય હાલમાં લુપ્ત થયેલું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org