________________
જૈનધર્મ
૧૦૩
છે. કર્મના નિયમની આસપાસ જ જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા વગેરે તને વિચાર કરવામાં આવ્યો છે. જૈનધર્મમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને ખ્યાલ કરવામાં આવ્યું છે. જીવના અનેક ભેદ પાડવામાં આવ્યા છે. દા. ત. વાયુકાયછો, માટીકાયજી, વનસ્પતિકાયજીવો, પાણીકાયજીવો. જૈનધર્મ સ્પષ્ટપણે માને છે કે દરેક જીવને તેના કર્મ પ્રમાણે ફળ ભેગવવાં પડે છે. જીવ એ ચૈતન્ય
સ્વરૂપ છે. અજીવ એ જીવથી વિરુદ્ધનું તત્ત્વ છે. અજીવના પાંચ ભેદ છે-આકાશ, ધર્મ, અધર્મ, કાલ અને પુદ્ગલ.
સારાં કર્મો પુણ્ય અને ખરાબ કર્મો પાપ કહેવાય છે. કર્મોને આત્માની સાથે સંબંધ થશે તે બંધ અને કર્મોથી આત્માની મુક્તિ થવી તે મોક્ષ.
આસવ શબ્દમાં રસ ધાતુ રહેલો છે. આસવ એટલે કર્મોનું આત્મા તરફ વહેવું. જે વડે આત્મા કર્મોથી બંધાય તે મિથ્યાત્વ, કષાય વગેરે આસ્રવ કહેવાય છે. જેમ ભીનાં વસ્ત્રો પર ધૂળ વગેરે પદાર્થો ચાટતાં તે મલિન બને છે. જેમ તળાવનું મલિન પાણી ગામની તંદુરસ્તી બગાડે છે તેમ ખરાબ કર્મો આત્માને મલિન બનાવે છે. ક્રોધ, અભિમાન, વેર, ઈર્ષ્યા વગેરે ખરાબ તત્તવો આત્માને મલિન કરે છે.
આ ખરાબ કર્મોને આત્મા તરફ વહેતાં અટકાવવાની ક્રિયા તે સંવર. સંવર શબ્દનો અર્થ સંર્ ધાતુ ઉપરથી વારવું અથવા બંધ કરવું એવો થાય છે. ખરાબ કર્મોને શુદ્ધ આચાર દ્વારા આત્મા તરફ વહેતાં અટકાવી શકાય છે.
અસિવ અને સંવરમાં ચાલુ કર્મોની વાત કરવામાં આવી છે પણ ગત જન્મનાં લાગેલાં કર્મોનું શું ? તે માટે જૈનધર્મમાં નિર્જરાની કલ્પના કરવામાં આવી છે. નિર્જરા એટલે કર્મોનું નિર્જરણ કરવું, કર્મોને ખંખેરી નાંખવાં. નિર્જરાના બે પ્રકાર છે: (૧) આચાર દ્વારા કર્મો ક્ષય થાય તે સકામ નિજો. આમાં માનવીએ ખરાબ કર્મોમાંથી મુક્ત થવા કઠણ તપસ્યા કરવી પડે છે. (૨) કમેં જ્યારે ભેગવાઈ જાય ત્યારે આત્મા તેની અસરમાંથી આપોઆપ મુક્ત થાય તે અકામ નિર્જરા.
આમ આસવ, સંવર અને નિર્જરા દ્વારા મનુષ્ય પિતાનાં ખરાબ કર્મોમાંથી મુક્તિ મેળવે છે. સમગ્ર જૈન દર્શનને સાર આસવ, સંવર અને નિર્જરામાં આવી જાય છે. જૈનધર્મનું તત્વજ્ઞાન અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ
જિન દર્શનની એક વિશિષ્ટતા એ છે કે તે કોઈ પણ વસ્તુને એકાંગી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org