SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ભારતીય ધમે ન જોતાં બધી બાજુએથી જુએ છે. આ કારણથી જ તે અનેકાન્તવાદના નામે ઓળખાય છે. અનેકાન્ત એ એક પ્રકારની વિચારપદ્ધતિ છે. સત્યને બધી દિશાએથી તપાસવાનું સાધન છે. કેટલાક વિદ્વાને અનેકાન્તને સંશયવાદ તરીકે ઓળખાવે છે, પરંતુ આ વિચારપદ્ધતિમાં કોને કેઈ સ્થાન નથી. સંપૂર્ણ જ્ઞાન માટે આપણે દરેક વસ્તુને બધી બાજુએથી તપાસવી જરૂરી છે. અનેકાન્તની રચના અહિંસાના પાયા પર જ રચાયેલી છે. પંડિત દલસુખભાઈ માલવણિયા કહે છે તેમ “જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે આચાર અને વિચારમાં અનેકાન્ત અપનાવ્યા વિના ચાલે નહિ. સત્યના આગ્રહી માટે હું કહું તે જ સાચું અને બીજું બધું ખોટું એવો આગ્રહ છોડવો જ પડે. સત્યના ઉપાસકને આ કારણથી અનેકાન્ત અપનાવ્યા વિના ચાલે તેમ નથી.” અનેકાન્ત મનુષ્યને એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ આપે છે. તે સત્યને સર્વ રીતે ચકાસીને અપનાવે છે. માનવજીવનને અનેકાન્તની દષ્ટિએ જોવાથી જીવનમાં ઘણું કલેશા, સંઘર્ષો અને મતભેદનું શમન થાય છે. ડોકટરે, વકીલો, ન્યાયાધીશ વગેરે પિતાના કાર્યમાં અનેકાન્તવાદથી ઘણું જ સુંદર પરિણામ લાવી શકે છે. અનેકાન્તવાદની વિચારસરણીમાં સાત પદ હેવાથી તે સપ્તભંગીના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ સાત પદ નીચે પ્રમાણેનાં છેઃ (૧) સ્થાતિ કંઈક છે. (૨) સ્થાનાતિ–કંઈક નથી. (૩) સ્થાતિ નાત-કંઈક છે અને નથી. ચાવવવવવ્ય—એ વ્યક્ત કરી શકાય એમ નથી. (૫) સ્થાતિ વાવવાથ–એ છે પણ વ્યક્ત કરી શકાય એમ નથી. (૬) નાસ્તિ રાવજીવ્ય—એ નથી અને તે અવ્યક્ત છે. (૭) સ્થાતિ જ નાસ્તિ વચ્ચએ છે, નથી છતાં વ્યક્ત કરી શકાય એમ નથી. વસ્તુના અનેક ધર્મો છે માટે વસ્તુ અનેકાન્ત અર્થાત અનેક ધર્માત્મક કહેવાય છે. કાઈ મકાનના ચારે દિશાએથી ચારે ફેટી લેવામાં આવે છે તે ફેટી એકસરખા નહિ હોય પણ તે એક જ મકાનના કહેવાશે, તેવી રીતે દરેક વસ્તુ જુદી જુદી દૃષ્ટિથી જુદી જુદી માલૂમ પડે છે. તેને ઉપર જણાવેલાં સાત પદેથી ચકાસવી જોઈએ. દા. ત. એક ડોકટરને દરદીની બાબતમાં પૂછવામાં આવે તે તે નીચે જણાવેલા સાત ઉત્તરમાંથી કેઈ એક જવાબ આપશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy