________________
ભારતીય ધર્મો
- જૈનધર્મમાં કહ્યું છે કે માનવીએ સંપૂર્ણપણે અહિંસક બનવા માટે સૌ પ્રથમ પિતાના દુર્ગુણો જેવા કે લોભ, મોહ, કામ, કલેશ વગેરે ઉપર વિજય. મેળવવો જોઈએ. અહિંસા કઈ કાયરની પ્રવૃત્તિ નથી પણ વીરતા અને દૃઢ મોબળને ગુણ છે. તેમાં સંયમ અને તપનું ખાસ મહત્વ છે. દરેક સંસારી જીવોને પ્રેમદ્વારા જીતી શકાય છે. આથી મન, વાણી અને કાયા દ્વારા દરેકને જીતવાને માનવીએ પ્રયત્ન કરવો જોઈએ. જેનધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે દરેકે પિતાને જીવનવ્યવહાર ગોઠવો. પ્રાયશ્ચિત્તને મહત્ત્વ આપવું તેમાં જ સાચી અહિંસા રહેલી છે. સંઘ
જૈનધર્મમાં સંઘનું મહત્વ વિશેષ છે. અહીં સંધના ચાર ભેદ છે: (૧) સાધુ (૨) સાધી (૩) શ્રાવક (૪) શ્રાવિકા. આ પૈકી પહેલા બે સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના નિયમ પાળે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓ સંસારમાં રહી સદાચારના નિયમો પાળે છે. સંઘનું મુખ્ય ધ્યેય જૈનધર્મને અનુયાયીઓને સદાચારી બનાવી ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું છે. આ ધર્મમાં સાધુ-સાધ્વીઓ સદાચારી અને જ્ઞાની બની પોતાના અનુયાયીઓને ઉત્તમ ઉપદેશ આપીને ચારિત્ર્યવાન બનાવી શકે તે માટે ઉપાશ્રયની ઉત્તમ વ્યવસ્થા છે. અહીં સાધુ-સાધ્વીઓ શાંતિથી જીવન વિતાવે. છે. તેમની સર્વ જવાબદારી જૈન સમાજે સ્વીકારી હોય છે.
નવકાર મંત્ર
જૈન ધર્મમાં નવકાર મંત્ર સર્વને નમસ્કાર કરવાના મંત્ર તરીકે ઓળખાય છે. અહં તને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને અને તેમાં રહેલા નાનામોટા, જાણ્યાઅજાણ્યા સર્વજ્ઞાનીઓને આ ધર્મમાં નમસ્કાર કરવાને આદેશ આપેલ છે. જૈનધર્મમાં આ ધર્મનું મહત્વ હિન્દુસમાજમાં પ્રચલિત ગાયત્રીમંત્ર જેટલું છે. નવ તર
નવ તો એ જૈનશાસ્ત્રને પ્રતિપાદ્ય વિષય છે. આ નવ ત તે જીવ, અજીવ, પાપ, પુષ્ય, બંધ, મેક્ષ, આસવ, સંવર અને નિર્જર છે.
જૈનધર્મના તત્ત્વજ્ઞાનમાં કર્મનું જ મહત્ત્વ સ્વીકારાયું છે, તેમાં ઈશ્વરને સ્વીકાર કરવામાં આવ્યું નથી. સંસારને અનાદિ અને અનંત માનવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org