SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વાઘ સિંહને પાંજરાનું બંધન છે, સપને કરંડીયાનું બંધન છે. હાથીને અંકુશનું બંધન છે, ગાયને ખીલાનું બંધન છે, ઘેડાને લગામનું બંધન છે. કુતરાને સાંકળનું બંધન છે. પક્ષીને પાંજરાનું બંધન છે. પુરૂષને સ્ત્રીનું બંધન છે. જીવને કર્મનું બંધન છે. આ કર્મના બંધનથી જીવને છૂટો કરવા જ્ઞાની ભગવંતોએ પચ્ચખાણને ઉપાય બતાવ્યા છે. પચ્ચખાણ દ્વારા પાપોથી છૂટાછેડા (DIVORCE) લેવાય છે. અને પાપો નહિ કરવાની જાહેર નેટીશ અપાય છે. આ પચ્ચકખાણ રૂપી નોટીશથી અવિરતિનું પાપ પ્રવેશી શકતું નથી. ભાગીદારીની પેઢીમાંથી છૂટા થવાની નોટીશ ન આપી હોય તો નુકશાનીને ભાગ આપ પડે છે. ( i ) પચ્ચકખાણથી કાયા અંકુશમાં આવે છે અને મનને પણ અંકુશમાં લાવવાને અભ્યાસ પડે છે. (ii) ન મલે કે ન ગમે તેનું પણ પચ્ચખાણ લેવાથી તેની આશા-અપેક્ષા છૂટી જાય છે અને હવે મળે તેમ ન લેવું એ ભાવ આવે છે. (iii) પચ્ચખાણ વિનાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત માન્યું છે. જ્યારે દરેક પચ્ચકખાણમાં આગાર–છૂટ હોવાથી નિયમ ભાંગી જાય તે પણ નાનું પ્રાયશ્ચિત છે, તે માટે આલેચનાન વિધિ જ્ઞાનીઓએ ફરમાવ્યો છે. (iv) જાહેરમાં સંઘ કે ગુરૂ સમક્ષ નિયમ લેવાથી પાલન કરવાની મક્કમતા આવે છે. નિયમ સહેલાયથી પળે છે. (v) નિયમના આલંબનથી ધીમે ધીમે ભાવ વધે છે. . (vi) નિયમમાં ટેવાઈ જવાથી વિષને રંગ ઓછો થાય છે. (vi) શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજા બીજા વ્રત લે તે રાજી થઈ સહાય તથા અનુમોદના કરતા અને એના કારણે ભાવિમાં વ્રત લઈ તીર્થંકર પદવી પામી મોક્ષે જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy