________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪
ઊતરી જાય તેમ તેના શરીરમાંથી યક્ષ નાસી ગયો. અર્જુન માળી ધરતી પર ઢળી પડ્યો. થોડી વારે ચેતના આવતાં તેણે સુદર્શનને પૂછ્યું, “શેઠ! તમે કોણ છો? સુદર્શને કાઉસગ્ગ પારી જવાબ આપ્યો, “હું ભગવાન મહાવીર દેવનો શ્રાવક છું. પ્રભુજી અહીં સમીપમાં પધાર્યા હોઈ હું તેઓશ્રીને વાંદવા જાઉં છું. તું પણ મારી સાથે ચાલ, તને ઘણો લાભ થશે.”
અર્જુનમાળીના ભાવ જાગ્યા. કરેલાં કર્મો હળવાં કરવાનાં હતાં. ને પ્રભુ પાસે આવવા સંમત થયો અને બન્ને જણ પ્રભુ મહાવીરના સમોસરણ પાસે આવી પહોંચ્યા. વંદનાદિ કરી ઉચિત જગ્યાએ બેઠા. પ્રભુજી ફરમાવતા હતા કે - “આ મોહાંધ સંસારમાં મનુષ્યનું જીવન, આર્યદેશમાં જન્મ, શ્રદ્ધા, ગુરુવચન - શ્રવણની સગવડ, વિવેક, મોક્ષમહેલનાં પગથિયાંની શ્રેણિ જેવું આ બધું અતિ સુકૃત કર્યું હોય તો જ મળે છે.” ઇત્યાદિ દેશના સાંભળી. સુદર્શન વ્રત-પચ્ચખાણ આદિ લઈ, પ્રભુજીને વંદન કરી પાછા ફર્યા, પણ અર્જુન માળીએ પાપોની નિંદા કરવાપૂર્વક દીક્ષા લીધી, તે જ વખતે પરમાત્મા સમક્ષ તેમણે પ્રતિજ્ઞા કરી કે જીવનભર છઠ્ઠ (બે ઉપવાસ)ને પારણે છઠ્ઠ કરવો.
દીક્ષા બાદ અર્જુન માળી પારણાના દિવસે વહોરવા જતા ત્યારે તેમને લોકોનો તિરસ્કાર સહન કરવો પડતો અને લોકો કહેતા કે “આ એ જ હત્યારો છે કે જેણે મારા પિતાને મારી નાખ્યા હતા.” તેમ કોઈ મા, ભાઈ, બહેન, પુત્રાદિના ઘાતક કહી બોલાવતા અને અપમાનભર્યા શબ્દો બોલી રંજાડતા. છતાં, અર્જુન મુનિ સમતા રાખતા, કોઈ પ્રત્યે મનમાં પણ અપ્રીતિ થવા દેતા નહીં, અને જે કંઈ ઉપસર્ગ થતા તે શાંતિથી સહી લેતા. આમ, ઉત્તમ કોટીનું તપ કરતાં અને ભાવના ભાવતા એ મુનિએ છ માસ પછી અનસન કર્યું.
પૂરા છ માસ રોજ સાતસાત જીવોની હત્યા એટલે કે એક મહિનાના ૩૦ દિવસ એટલે ૬ મહિનાના ૧૮૦ દિવસ રોજની ૭ હત્યા એટલે ૧૨૬૦ જીવોની હત્યાનું પ્રાયશ્ચિત્ત છ માસ સુધી કરી કેવળજ્ઞાન પામી પંદર દિવસના અનસન બાદ કાળધર્મ પામી મોક્ષે ગયા.
આ માટે જ શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન એ રીતે ક્રમશઃ પચ્ચકખાણ, સંયમ, તપ, નિર્જરા અને છેલ્લે મોક્ષ થાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org