________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૮
થયેલો હું છેવટે ચોરી કરવા રાજમહેલમાં પહોંચ્યો અને રાજાના શયનકક્ષ નજીક પહોંચી ગયો. રાજારાણી જાગતાં હતાં અને પલંગમાં વાતો કરતાં હતાં. હું અવસરની રાહ જોતો હતો. ત્યાં રાણી બોલી, “મહારાજ! આજ આપને શી અકળામણ છે કે ઊંઘ આવતી નથી?” રાજાએ કહ્યું, “રાણી! જગતમાં કેવા કેવા લોકો હોય છે? પેલો વજકર્ણ મોટો ધર્માત્મા થયો છે, તે મને નમન-નમસ્કાર કરવામાં એનો ધર્મ ચાલ્યો જતો માને છે ને એ માટે એ પ્રપંચીએ પોતાની વીંટીમાં ભગવાન જગ્યા છે. માથું તેમને નમાવે અને નમન અમને જણાવે! હું એને મારી એનું માથું મારા પગમાં મૂકીશ ત્યારે જ મને ચેન પડશે. કહે છે કે એણે એવો નિયમ લીધો છે કે વીતરાગ સિવાય કોઈને નમવું નહીં, એ જ મારા સાચા સ્વામી છે. પણ કાલે સવારે જ સૈન્ય સાથે પ્રસ્થાન કરવાની મેં આજ્ઞા આપી છે.”
રાજા-રાણીની આ સાંભળી, હે મહારાજ! મને વિચાર આવ્યો, “અહો ક્યાં એ દઢધર્મી મહારાજ વજકર્ણ અને ક્યાં એક બજારુ બાયડીના કહેવાથી દુઃસાહસ કરનાર હું કુળવાન સદ્ગૃહસ્થ છતાં ચોર?” પછી ત્યાંથી નીકળી તરત હું અનંગલતા પાસે ગયો અને તેની પાસેથી વિદાય લીધી. તેણે મને ખૂબ મનાવ્યો ને મમતા બતાવી પણ મેં મારો નિર્ણય કરી લીધો હતો. હું સાંઢણી પર બેસી ઉતાવળે તમને ચેતવવા આવ્યો છું. હું પણ હવે આવાં પાપી કામો છોડી, ધર્મના માર્ગે વળવા માગું છું. સારું, પ્રણામ! હવે હું જઈશ. તમારે ધર્મની રક્ષા માટે જે ઉપાય લેવો હોય તે લો.”
આ સાંભળી પ્રસન્ન થયેલા વજકર્ણ વૃશ્ચિક વણિકને ઉચિત સત્કાર કરી સારું ઈનામ આપી વિદાય કર્યો.
વજકર્ણ રાજાએ નગર બહાર રહેતા લોકોને નગરમાં બોલાવી લીધા. નગરમાં બધી સામગ્રી ભેગી કરી, નગરના દરવાજા બંધ કરાવી દીધા. રાજા સિંહરથે નગરને ઘેરી લીધું. તેણે દરવાજાની બારી વાટે દૂત મોકલી વજકર્ણને કહેવડાવ્યું કે, “હજી કાંઈ બગડ્યું નથી. તું અમને નમસ્કાર કરી જા અને સુખે તારું રાજ્ય ભોગવ. નહિતર તારું મૃત્યુ નક્કી છે.”
વજકણે ઉત્તરમાં કહેવડાવ્યું કે, “મને ધર્મ વ્હાલો છે. ધર્મથી મને સુખશાંતિ છે. ધર્મથી વધીને કોઈ રાજ્યવૈભવ નથી. મને ધર્મમાર્ગે જવા દો. ગમે ત્યાં જઈ ધર્મ આરાધીશ. રાજ તમે રાખો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org