________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪
હતું અને અપાર વૈભવનો ત્યાગ કરી, ચારે ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન, કે અશ્વસેન જેમના પિતા હતા અને વામાદેવી જેમની માતા હતી, તેઓ પણ આ નગરમાં થઈ ગયા.
મારો જન્મ થતાં રુદ્રયશા મારું નામ પાડ્યું. હું ગુરુના આવાસે જેને ગુરુકુલ કહેવાય ત્યાં અભ્યાસ કરવા લાગ્યો, પણ મારું મન જુગાર ભણી ખેંચાઈ ગયું. હું જુગારી બન્યો. જુગાર, માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરદારા સેવન - આ સાત વ્યસનો ઘોર અને અતિભયંકર નરકમાં માણસને લઈ જાય છે. જુગારને લીધે મારે ચોરી કરવી પડી. થોડા દિવસોમાં મારા કુટુંબમાં પણ મારી આ પ્રવૃત્તિની જાણ થઈ ગઈ. એમને ભારે દુઃખ થયું. એક દિવસ ચોરી માટે રાત્રે નીકળેલો. મારા હાથમાં ખુલ્લી તલવાર હતી. કેટલાક લોકોએ મને પકડવા પ્રયત્ન કર્યો પણ હું ત્યાંથી ભાગી જંગલમાં જતો રહ્યો અને એક ગુફા આગળ આવી ઊભો. એ ગુફા સિંહગુફા નામે ઓળખાતી હતી. તેમાં કેટલાક લૂંટારા રહેતા હતા. હું તેમાં દાખલ થયો. ચોરોનો નાયક એક જગ્યાએ બેઠો હતો. ઘણા ચોરોનો તે અગ્રણી હતો. હું તેમની ટોળીમાં ભળી ગયો. થોડા જ વખતમાં હું નિર્દય યમદૂત જેવો લૂંટારો બની ગયો. મારાં ચોરીના પરાક્રમોને લીધે હું નાયકનો ખાસ માનીતો બની ગયો.
એક દિવસે લૂંટ કરવા તત્પર એવી અમારી ટોળી એક સ્થળે ચોરી માટે ઊભી હતી, ત્યાં એક તાજા યૌવનથી શોભતું સ્ત્રી-પુરુષનું જોડકું આવી પહોંચ્યું. સ્ત્રી સુંદર યૌવનથી દીપતી હતી અને પુરુષ કામદેવને ટક્કર મારે તેવો હતો. તેમને પકડી લેવામાં આવ્યાં અને અમે તેમને અમારા નાયક પાસે લઈ ગયા. તેમનાં અલંકારો-આભૂષણો લઈ લીધાં. નાયકે ખૂબ જ ખુશ થઈને કહ્યું, “આવતી નવમીની રાત્રે કાલીદેવીની સમક્ષ આ બંનેને બલિરૂપે હોમી દેવાનાં છે. મરણના ભયથી તે બંને આક્રંદ કરવા લાગ્યાં. હું તેમના રક્ષણ માટે નિમાયો. પેલી સ્ત્રી જિનેશ્વર ભગવાનને યાદ કરી આવા કસમયના મૃત્યુથી બચાવવા રુદન સાથે આજીજી કરવા લાગી. મને દયા આવી, એમને ઉગારી લેવા વિચાર્યું અને એક પાછળના રસ્તે લઈ જઈ તેમને ગુફાની બહાર કાઢ્યાં. ગુફા બહાર આવી મેં તેમને તેમનો વૃત્તાંત પૂછળ્યો. બધી હકીકત તેમણે જણાવતાં મને ભાસ થયો ૧. આત્માના ગુણોનો ઘાત કરનારો આદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org