________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫.
તો દેવીએ આમ રાજાનો પૂર્વભવ જણાવ્યો, જે બપ્પભટ્ટસૂરિએ બીજે દિવસે રાજાને રાજસભામાં કહી જણાવ્યો : “હે રાજા! પૂર્વભવમાં તું એકાંતરે ઉપવાસ કરતો તાપસ હતો. કાલિંજર પર્વત પાસેની નદીના તીરે શાલ વૃક્ષ નીચે તારો વસવાટ હતો. ત્યાં તે સવાસો વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું. ત્યાંથી અવસાન પામી તું અહીં રાજકુળમાં અવતર્યો. હજી પણ તે વૃક્ષ નીચે તારી જટા પડેલી છે.”
આ જાણી રાજાએ માણસો મોકલી તે જટા મંગાવી. રાજાને પૂર્ણ વિશ્વાસ થયો. તે ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાન થયો. ગુરુમહારાજના ઉપદેશથી તેણે મોટા ઠાઠમાઠથી શ્રીસિદ્ધગિરિ ગિરનારજીની યાત્રાના સંઘો કાઢ્યા. અંતે નવકાર મંત્રની આરાધનાપૂર્વક કાળ કરી સ્વર્ગે ગયા. કવિસભામાં સૂર્ય જેવા આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજી શાસનની ઘણી પ્રભાવના કરી સ્વર્ગે સિધાવ્યા.
રાતાં જેવા કુલડાં રાતાં જેવા ફુલડાં ને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ રૂડો બન્યો રંગ; પ્યારા પાસજી હો લાલ, દીનદયાલ મુજને નયણે નિહાલ. ૧ જોગીવાડે જાગતો ને માતો શિંગડમલ્લ, શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે પલ્લ... પ્યારા તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ સાંભળી અરદાસ. પ્યારા૩ દેવ સઘળાં દીઠા તેમાં એક તું અવલ્લ; લાખેણું છે લટકું તારું દેખી રીઝે દિલ્લ. યારા. ૪ કોઈ નમે પીરને ને કોઈ નમે રામ, ઉદયરત્ન કહે પ્રભુ, મારે તુમશું કામ. પ્યારા૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org