________________
૪. શાંતિનાથ ધવલ (વિવાહલો) વિવાહની રૂપકાત્મક અભિવ્યક્તિ કરતો કાવ્ય પ્રકાર ધવલ” છે. વિવાહલો અને વેલિ પણ આજ અર્થ સૂચક કાવ્ય પ્રકારો છે. ભૌતિક વિવાહ નહિ પણ આધ્યાત્મિક વિવાહ મોક્ષની પ્રાપ્તિ - શિવનગરીને વરવાના પ્રસંગનું વર્ણન કરતું કાવ્ય ક્વલ છે. શાંતિનાથ ધવલમાં શાંતિનાથ ભગવાનના વિવાહના પ્રસંગ ઉપરાંત નિવણનો પણ સમાવેશ થયો છે. એટલે કવિએ “ધવલ” સંજ્ઞા આપી છે. આ કવિનો સમય સોળમી સદીના ત્રીજા તબક્કાનો છે. મૂળ નામ બ્રહ્મમુનિ હતું, બીજું નામ વિનયદેવસૂરિ છે. કવિએ શાંતિનાથ ધવલ ઉપરાંત વાસુપૂજ્ય સ્વામી ધવલ અને સુપાર્શ્વ વિવાહલોની રચના કરી છે.
શાંતિનાથ ધવલ (વિવાહલો) આરાધું ભાવિ શાંતિકરણ શ્રી શાંતિ, ગિરૂઆ ગુરૂ વંદુ ટાલી મનની ભ્રાંતિ, નિર્વાણીનામિ શાસનદેવી સંભારું, સોલમાં જિનવરનું ધવલ રચું હું સારું. (૧) જગમાંહિ જંબૂદીપ અચ્છિ સુવિશાલ, એક લાખ જયણિ ગણિ જિણિ આકારિ થાલ, તિહાં ક્ષેત્ર ભરતવિચિ ગિરિવર છે વૈતાઢય, વિદ્યાધર સુંદર વસઈ જિહાં બહુ આઢય. (૨) તસ ઉત્તરશ્રેણિ રતનેઉર ચક્રવાલ, પુર મોટું તિહાં કણે અમીતતેજ ભૂપાલ તસ બહિન સુતારા પોતનપુર નઇરાયિં,
પરણી શ્રીવિનઈ અતિ હરખઇ તિણિ વાહિ. (૩) ૪૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org