________________
નિરલોભી નિરજંદ નિવાજે કિણ પરે મારા લાલ સમજી ખડે નહિ કાય કિસી વિધી આદરે મારા લાલ. થારો એહસુ ભાવ કહો કુણ લખી શકે મારા લાલ મુરખિ તેહ અજાણ જિહા તિહા ઈમ બકે મારા લાલ. - (૩) સહજ સોભાગી સંત સુધારસ આગલો મારા લાલ ચિતકી દ્રષ્ટિનું વૃષ્ટિ કરી કે સાંભલો મારા લાલ. આવે કેમ પ્રતીત વડા કી ચિત્તમે મારા લાલ એ ઠાકર હું ચાકર કરતો નિતમેં મારા લાલ. - (૪) શીતલ સહજસુ ભાવ સહાઈ ગુણ કરે મારા લાલ આદરી યારી ટેક મહા મતિ આદરે મારા લાલ થારો એહસુ ભાવ જિકો લાગી રહે મારા લાલ અકલ કલાઈ હીરજલી પરિ, નિરવહે મારા લાલ. - (૫)
ઈતિશ્રી શીતલનાથ સ્તવન. : ઢાલ - શ્રેણીક નરિંદ રાજી એ દેશી. : સેવાશ્રી શ્રેયાંસની જો કરી જાણે કોઈ ચિંતામણી સુરતરુ સમો, સબલ સખાઈ જોઈ. (૧) દેશ દેશાંતરિ કાં ભમો, કાં જાવો સમુદ્ર પાર ધરિ બેઠા સુખ ભોગવો, પુત્ર કલત્ર પરિવાર. (૨) સુજસ ભલાઈ સંપજે જન જંપે જાકાર દુષ્ટ વૈરી પાર પડઈ આણવો શિરદાર. (૩) જુલમતિ ઘોડા હીંસતા હાથીરથ શિણગાર યુવતી રંભા સારિખી દેહીવાન સફાર. (૪) સે બાંહ સમજી હીરસુ સેવાનો પરમાણ સેવો સદા ભવિયણ તુમો જિમ પામો કોડિ કલ્યાણ (૫)
ઈતિશ્રી શ્રેયાંસજિન સ્તવન.
સમેતશિખરનાં સ્તવનો
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org