SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શિખરગિરી રાસા ખરતરગચ્છના જિનહર્ષસૂરિના શિષ્ય સત્યરત્નજીએ શિખરગિરી રાસની રચના સં. ૧૮૮૦ના ભાદરવા સુદ-૫ ના રોજ કરી હતી. મધ્યકાલીન કોશમાં જણાવ્યા પ્રમાણે પૂ. સં. ૧૯૨૪માં હયાત હતા. પૂ. શ્રીએ સમેતશિખરની યાત્રા કરીને જે ભાવાનુભૂતિ કરી હતી તેની ફૂરણાને ભાવોલ્લાસના પરિણામે આ રાસની રચના કરી હતી. આ રચનામાં કલ્પના કરતાં વાસ્તવિક અનુભવ કેન્દ્ર સ્થાને છે. ભાષા સરળ હોવાથી રાસ વાંચનારને સમેતશિખરની ભાવ યાત્રાની અનુભૂતિ કરી શકાય તેવી આસ્વાદ્ય કૃતિ છે. રાસને અંતે આપેલો સમય મૂળ હસ્તપ્રતની નકલ કરવામાં આવી તે દર્શાવે છે. : શિખરગિરી રાસ: શ્રી પારસનાથાય નમઃ | | અથ શિખરગિરી રાસ લિખતે // અજતાદિક પ્રભુ પાય નમી પારસનાથ પ્રગટ, સમેતશિખર ગિરીરાજના ગુણ ગાતા ગહગટ. (૧) સજલ શિખર ગિરીવર સરસ ફરસ્યા પાપ પુલાય, ટુંકે (૨) પાદુકા વાંઘા ભવદુઃખ જાય. (૨) નામ લીયા સુખ સંપજે ઘર બેઠા શુભ ભાવ, સફલ જન્મ જાત્રા કરે મનુષ્યપણા કો યેહિ દાવ. (૩) ભવ ભવ ભમતા માનવી પાસે સુખ અનંત, સમેતશિખર ભેટેજીકો તુરત લહે ભવ અંત. (૪) સમેતશિખર ગિરીરાયનો રચશું રાસ રસાલ, શ્રોતા સુખ સંપદ લહે દિન દિન મંગલ માલ. (૫) કલ્પવૃક્ષ ચિંતામણી જગ જંત્ર મંત્ર જોઈ, એ મહિમા સહકારમી ગિર શિખર સમો નહિ કોય. (૬) ૧ ૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy