________________
૧૮. સ્થૂલિભદ્ર નવરસ ગીત નવરસ - નવરસોનો અર્થ સાહિત્યના નવસમાં નિરૂપણ એમ સમજવાનું છે. અન્ય અર્થ નવરસમાંથી કેટલાક રસને કેન્દ્રમાં રાખીને કાવ્ય રચના કરવી તે પણ નવરસો કહેવાય છે. ૧૮મી સદીના ત્રીજા તબક્કામાં થયેલા કવિ ન્યાય સાગરે સ્થૂલિભદ્ર નવરસ ગીતની રચના કરીને સાહિત્યમાં જણાવેલા નવરસ. શૃંગાર, હાસ્ય, કરૂણ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્દભૂત, શાંત, બીભત્સમાં કવિએ સ્કૂલિભદ્ર નવરસ ગીતની રચના કરી છે. તેમાં સ્કૂલિભદ્ર અને કોશ્યાના જીવન પ્રસંગો કેન્દ્ર સ્થાને છે. કવિએ રાગ અને દેશીઓના સમન્વયથી ગેય રચના કરી છે. તેમાં રસનિરૂપણ આકર્ષણનું કેન્દ્ર છે. સાહિત્યની દષ્ટિએ આ કૃતિમાં ઊચી કવિ પ્રતિભાનું દર્શન થાય છે. કૈલાસ સાગર સૂરિ જ્ઞાન મંદિર કોબા માંથી આ હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે અને અત્રે પ્રગટ કરવામાં આવી છે.
સ્થૂલિભદ્ર નવરસ ગીત.
(રાગ : કેદારો) કરિ શૃંગાર કોસ્યા કહે, નાગરના નંદન મોહન નયણે નિહાલિ રે, નાગર.. આ યોવન જાઇ ઉલટયું, નાગર... સ્વામિ કરિ નૌન સંભાલ રે... ના...(૧) આકની આગલી નકવેસર ઠવિ, ના... બાલા બોલે બોલ રે ના.. તુમ વિરહ કાયા દહી... ના...કા થાઉં નિધુર નિટોલ રે... ના..(૨) આ ચિત્રસાલી આપણી, ના...આ તે સુનિ સેજ રે... ના... તે વાસો તુમે વાલા... ના...ન વધે અણુ બોલ્યા હેજ રે, ના...(૩) સાયર આંસુધોવતિ, ના...રોચતિ રામા તેહ રે, ના.. વિરહાનલ વાલેસ), ના...કેમ સીતલ થાઈ દેહ રે, ના... (૪) પછતાણી પ્રીતમ હવેં, ના...ફોકટ માંડી મેં પ્રીત રે, ના... કીધી કરિ જાણી નહીં... ના...ડી પ્રીતિની રીતિ રે, ના...(૫) શૃંગારિક વચન સાંભલી, ના...ભેદ્યો નહીં લગાર રે, ના... યૂલિભદ્ર થિર ચિત રહ્યો, ના...સીલ ગાંગેય અવતાર રે, ના...(૨) ૧. નાકની વાળી.
સ્થૂલિભદ્ર નવરસ ગીત
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org