SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ : જીવ : ચૈતન્ય સ્વરૂપ, ઉપયોગ વાળો જીવ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય જેવા ગુણો વાળો જીવ છે. જીવ માટે આત્મા, ચેતન જેવા શબ્દો પણ પ્રચલિત છે. ગુણ સ્થાનક : જીવાત્માના વિકાસનો ક્રમ દર્શાવતી માહિતી. સાધકના અંતરંગ પ્રબળ પુરૂષાર્થથી પોતાના પરિણામોની શુદ્ધિ અને વૃદ્ધિ થવાથી કર્મ સંસ્કારોનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ ઉત્પન્ન થતા ભાવોથી જીવાત્માની વિશિષ્ટ અવસ્થા તે ગુણસ્થાનક છે. લેશ્યા : આત્માના કષાયાદિ વાળા પરિણામથી મન-વચન અને કાયાના યોગની સ્થિતિ. યોગ : કર્મોના સંયોગથી જીવના પ્રદેશોનું સંકોચન કે વિસ્તાર થાય તે યોગ છે. મન, વચન અને કાયાના શુભાશુભ પરિણામની સ્થિતિ. ક્રિયામાં આ ત્રણની એકતા તે યોગ છે. સમકિત : વીતરાગ કથિત દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની રૂચિ અતૂટ શ્રદ્ધા તે સમકિત છે. મિથ્યાત્વ ઃ વિતરાગ ભાષિત ધર્મ સિવાય અન્ય દેવ-ગુરુ અને ધર્મ તથા દેવ-દેવીયોની ઉપાસના આદિની ભક્તિ રૂચિ અને શ્રદ્ધા કરવી તે મિથ્યાત્ત્વ છે. અનંતો સંસાર વૃદ્ધિ કરીને જીવાત્મા ભવભ્રમણ કરે છે તેનું કારણ મિથ્યાત્વ છે. વેદ : ‘લિંગ’ સ્ત્રી, પુરૂષ નપુંસક જાતિના જીવો. દ્રવ્ય અને ભાવથી આત્માને મૈથુન સેવન - ભોગેચ્છાની ઈચ્છા પ્રગટ થવી. સ્ત્રી-પુરૂષ અને નપુંસકને આવી ઈચ્છા થાય છે. ચાર ગતિ : દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિ. ૮૪ લાખ જીવાયોનિ : સાત લાખ સૂત્રમાં તેની વિશેષ માહિતી છે. આ સૂત્ર વિશેષ પ્રચલિત છે. હૂંડી વિચાર ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy