________________
૧૦. હૂંડી વિચાર સત્તરમી સદીના ચોથા તબક્કામાં થયેલા ખરતર ગચ્છના સાધુ મતિ કુશલંજીએ હુડી વિચારની રચના કરી છે. ગદ્ય શૈલીના નમૂનારૂપ આ રચનામાં પૂ.શ્રીએ જૈન દર્શન - તત્ત્વજ્ઞાનના વિવિધ વિચારોના ભેદ – નામ નિર્દેશ સાથે રજુ કરીને જિનવાણી - જિનપૂજાનો સ્વીકાર કરવાનો (આદર) ઉપદેશાત્મક વિચાર વ્યક્ત કર્યો છે. તેમાં મુખ્યત્વે જીવના ભેદ, ગુણસ્થાનક, યોગનું સ્વરૂપ, શરીરના પ્રકાર, ઉપયોગના ૧ર ભેદ, વેશ્યા, ૧૦ પ્રાણ, ૮૪ લાખ જીવાયોનિ ચાર ગતિ ત્રણ વેદ, જીવોની સ્વકાય સ્થિતિ, શરીરનું બંધારણ, આઠ કર્મ, કર્મબંધ-પ્રકૃતિના ભેદ, તીર્થકર નામકર્મ, ગુણસ્થાનકની દષ્ટિએ કર્મ પ્રકૃતિ, જીવોનું અલ્પ બહુત, સમકિતના ૬૭ ભેદ, મિથ્યાત્વના ૭ર ભેદ વગેરે વિષયોની માહિતીનો હસ્તપ્રતમાં સમાવેશ થયો છે. મુખ્યત્વે જીવને કેન્દ્રમાં રાખીને અન્ય વિષયોની માહિતી આપી છે. આ હસ્તપ્રતના વિચારો જીવ વિચાર, કર્મગ્રંથ નવતત્ત્વ જેવા ગ્રંથોના અભ્યાસ સાથે સામ્ય ધરાવે છે. કેટલાક પારિભાષિક શબ્દોનો અર્થ આપવામાં આવ્યો છે. વિશેષ તો ઉપર દર્શાવેલા ગ્રંથોના અભ્યાસથી વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે તેમ છે.
હૂંડી વિચાર વીર ગુરૂગ્ય વંદિતા બાલબોધ વિધાયિનઃ
વાર્તાભિરત લિખતે વિચારાઃ કતિ ચિન્તયા... પૃથ્વી, અપ, તેલ, વાલ, પવનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ૮ચઉરિંદ્રિયા, અસંજ્ઞીઆ તિર્યંચ પંચેદ્રિય, સંતિયા તિર્યંચ ૧પંચેન્દ્રિય, ૧૧મનુષ્ય, ૧૨નારક, ૧૩દેવ, એહ સ્થાનકે જીવ સ્થાનાદિક વિચાર લિખિઈ છઇ ll
તત્ર પ્રથમ જીવ સ્થાનક વિચારઃ યથા | જીવ્ય સ્થાનક કહીઇ. જીવના ભેદ તે ૧૪ કહીશું. એકૅન્દ્રિયના બિ ભેદ, જે સગલે જગિ છઈ, દષ્ટિ ગોચરિ નાવે તે સૂક્ષ્મ કરીશું જે પૃથ્વિકાર્દિક દૃષ્ટિ ગોચરે શ્રાવઇ તે બાદર કહીઅર તથા બેઇંદ્રિય ત્રેઇદ્રિય
૧૪૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org