________________
અથાક પરિશ્રમ કરીને વિવિધ કાવ્યોનું સર્જન કર્યું અને પંડિત-શ્રાવક કે લહિયા પાસે લખાવીને હસ્તપ્રતો તૈયાર કરાવી હતી. જૈન સંઘના કાર્યકર્તાઓએ આ હસ્તપ્રતોનું વર્ષોથી રક્ષણ કરીને જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. મુદ્રણકળાનો વિકાસ થયો ન હતો ત્યારે પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં તાડપત્ર-ભોજપત્રો અને અન્ય પત્રો પર આ શ્રુતજ્ઞાન લખાવીને ભવિષ્યની પેઢીને માટે જ્ઞાન પ્રાપ્તિનો પૂર્વાચાર્યો એ અભૂતપૂર્વ ઉપકાર કર્યો છે એ ઉપકારના ફળ સ્વરૂપે હસ્તપ્રતોનું સંશોધન કાર્ય શ્રુતજ્ઞાનની ભક્તિનું ઘોતક બને છે. “અપ્રગ્ટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય” શીર્ષકથી આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. હસ્ત પ્રતના વિવિધ વિષયો અંગે કોઈ વિવેચન કરવામાં આવ્યું નથી પણ મૂળ લખાણને પ્રકટ કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક કઠિન શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે. આરંભમાં પૂર્વ ભૂમિકારૂપે હસ્તપ્રતનો વિષય-કવિનું નામ - રચના સમય અને વિષયને લગતી સંક્ષિપ્ત માહિતી પ્રગટ કરવામાં આવી છે.
હસ્તપ્રતનું ગુજરાતી લિપિમાં સંશોધન કરાવા માટે સહાયક મુનિવર્યો અને સાધ્વીજી મ.સા. ની શ્રુતભક્તિના સેવાકાર્યની અનુમોદના કરવામાં આવે છે.
જૈન સાહિત્ય-શ્રુતજ્ઞાનના વારસાનું મૂળ પૂર્વાચાર્યો અને હૃતોપાસક મુનિવરોએ રચેલી હસ્તપ્રતોમાં છે.
હસ્તપ્રતોના લેખન દ્વારા જૈનાગમ થી આરંભ કરીને જ્ઞાન-ક્રિયા આ ચાર ધર્મ, ચૌદ રાજલોક, જયોતિષ, કથા, તત્ત્વજ્ઞાન, કાવ્ય, ન્યાય, યોગ, વ્યાકરણ, અધ્યાત્મ, પ્રભુ ભક્તિ, આત્મરિદ્ધિ સાધના અને કાવ્ય, વિરતિધર્મ જેવા વિવિધ વિષયોના જ્ઞાનનો પ્રવાહ વહેતો રહ્યો છે. અને અર્વાચીન કાળમાં શ્રુતજ્ઞાનનો અભિનવ સ્વરૂપે પ્રચાર થયો છે. મુનિ
10606
545454545454545450
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org