SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. વેલિ - બીજ અથવા મૂળ આધ્યાત્મિક સાધનામાં ગુરુકૃપા મહત્વની છે એટલે ગુરુ ગુણ ગાવાની કાવ્ય રચના. આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ કરતી કાવ્યરચના. ૧૧. સંવાદ નાટક અને એકાંકીના લક્ષણ તરીકે ગણાય છે. જેથી સાહિત્યમાં સંવાદનો અર્થ બે પાત્રો વચ્ચેના વાર્તાલાપઃ સંવાદ સંક્ષિપ્ત અને સૂચક હોય છે. ૧૨. સંધિ - અપભ્રંશ સાહિત્યમાં વસ્તુ વિભાજન માટે પ્રયોજાતો શબ્દ “સંધિ' સંજ્ઞાથી કાવ્યો રચાયા છે. ૧૩. ગીતા - તીર્થકર ભગવાનની કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે ઉપદેશ આપે છે તે જિનવાણી – જૈન દર્શનના વિચારોને કાવ્ય અભિવ્યક્તિ તેને ગીતા કહેવામાં આવે છે. આ કાવ્ય પ્રકારો વિશે વિશેષ માહિતી સંદર્ભ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ શકશે. કાવ્ય પ્રકારો વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. હસ્તપ્રતોમાં જેથી સાહિત્ય અને દર્શનશાસ્ત્રના અનેકવિધ વિચારોનો સંગ્રહ થયો છે જેથી દર્શનના શ્રુતજ્ઞાનના વારસાનું ભવ્ય અને ગૌરવવંતુ સ્થાન હસ્તપ્રતોમાં છે એના પ્રકાશનથી અપ્રગટ શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિનો લ્હાવો લેવા જેવો છે. નૂતન જિનમંદિરની તુલનામાં જીર્ણોદ્ધારનું મૂલ્ય પણ ઉચ્ચ કોટીનું છે તેવી રીતે પ્રાચીન શ્રુતજ્ઞાનના જીર્ણોદ્ધાર સમાન હસ્તપ્રતોનું સંશોધન પ્રકાશન અને સંપાદન જ્ઞાન વારસાનો ભક્તિની રીતે અતિ મૂલ્યવાન સુકૃત ગણાય છે. હસ્તપ્રતોના મૂલ્ય અને ગુણવત્તા વિશે પ.પૂ.આ.પૂર્ણચન્દ્રસૂરિ સંપાદિત કલ્યાણ માસિકના શ્રત વિશેષાંકની માહિતી જૈનજૈનેતર વર્ગને માટે અનન્ય પ્રેરક છે. પૂર્વાચાર્યો અને મુનિભગવંતોએ 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy