________________
еееееееееееееееееееееееееееееееееееееееееееееееееееее
ભગવંતોની પ્રેરણાથી ગામ-નગર અને શહેરના સંઘના સેવકોએ-ભક્તોએ હસ્તપ્રતોના લેખન માટે સમાગ્રી પૂરા પાડી અને સંઘમાં હસ્તપ્રતોનો સંગ્રહ થયા પછી તેના રક્ષણ માટે પણ શ્રુતભક્તિનો લાભ લીધો છે. આજે પણ ભારતના વિવિધ નગર-ગામો અને શહેરોમાં હસ્તપ્રતનો અમૂલ્ય ખજાનો શ્રુતવારસાની સાક્ષી પૂરે છે. આ પ્રાચીન હસ્તપ્રતો એ જ્ઞાનવારસાના અધિકૃત દસ્તાવેજ સમાન છે.
વર્તમાનમાં અપ્રગટ હસ્તપ્રતોના પ્રકાશન સાથે જીર્ણાવસ્થામાં રહેલી હસ્તપ્રતોની ફોટોકોપી દ્વારા તેનું રક્ષણ કરવામાં આવે છે. ટૂંકમાં હસ્તપ્રતોના વારસાનું રક્ષણ મુદ્રણ, સંશોધન અને અધ્યયનનું સુકૃત વધુ વિકાસ પામે અને આત્માના જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ગુણની વૃદ્ધિ પામે એજ સાચું ફળ છે.
ડૉ.કવિન શાહ બીલીમોરા....
sdsdsdsdses/SQSQSQSQSQSQSQSQSQSQSQSQSQSSSSSSSSSSSSB
17
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org