SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. ગીત મધ્યકાલીન જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારનાં પદોની રચના થઈ છે. કવિઓએ પદ સમાન રચનાને “ગીત' સંજ્ઞા આપી છે. પદની સંક્ષિપ્તતાની સાથે ગીત કાવ્યની ગેયતાને મહત્વનું ગણવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર, પાટણથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને આધારે ત્રણ ગીત રચનાઓ પ્રગટ કરવામાં આવી છે. (૧) જંબુ ગીત (૨) સીમંધર સ્વામી ભાસ અને (૩) વૈરાગ્ય ગીત. ઉપરોક્ત ત્રણ ગીત રચના અજ્ઞાત કવિની છે. રચનામાં કોઈ નામનો ઉલ્લેખ થયો નથી. મધ્યકાલીન ગીત રચનાના દષ્ટાંતરૂપ આ લધુ કાવ્ય રચના છે. ૧. વૈરાગ્ય ગીત સુણી સુણી રે જીવ વિચાર. મૂલ નિગોદિ માંહિ રે. હુએ એક એક સાસ ઉસાસા, ભવસાગર તવ લહિએ. ભવ લહિ સાડા સત્તર, સાસ જીવ નિગોદિ માંહિ. અકામ નિર્જરા કર્મ સહુ આપણા, સંસાર એ અસાર પૂરવ દુઃખ સંભારઈ. દશ દષ્ટાંતઈ દોહિલઉં, માનવ જન્મ ન હારિઈ | લીજVરે સંયમ ભાર, ચારિત્ર નિર્મલ પાલીઈ. પાલીઈ ચારિત્ર ઈતિ નિર્મલ, પાપ પંક પખાલીઈ. સિદ્ધ તણે સમકિત લીજઇ, કુમતિ સઘલી ટાલીઈ. આરાહી ચઉવીસ જિનવર, સીસ તેહનઈ નામીઈ. કરજોડી સકલ ઈમ વીનવઈ, મુગતિ પદ ઈમ પામીઈ. ૨. જંબૂસ્વામી ગીત જીવ જોગીસર જાણીઈ રે, શીલ કંથા સવિચાર. અઢાર સહસ કુટક રહી રે, બારવ્રત દોરડા માંહિ રે. ૧. કટકા (ટુકડા) શિયળરૂપી કંથાનો વિચાર કરવો. તેમાં બાર વ્રતરૂપી દોરડામાં અઢાર હજાર શીલાંગરૂપી કટકા (તાણાવાણા) વણેલા છે. ચોથા વ્રતથી બાર વ્રતરૂપી દોરડાં મજબૂત બને છે. પરિણામે શિયળરૂપી કંથા સુંદર બને છે. ગીત ૧૩૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy