________________
શિખામણ દીધી ભલી, કોશ્યાને તિણ વાર તવ વનીતા ઈમ વિનવે, ધન ધન તુઝ અવતાર... (૫) મે ઉપાય કર્યા ઘણા, તૂમ ચૂકાવા સ્વામી ખજયો મુઝ અપરાધને, કહું છું હું શિરનામ. (૬) ચાલો એમ હું કિમ કહું, પોહોચો વંછિત આસ વહેલા વલી ઈહાં આવજયો, નહીં વિસારું સાસોશ્વાસ... (૭) હરખે આંસુ નાંખતી, વિકસિત બોલે વેણ ગુરૂવાંદી પ્રભુ આવો , મારાં સસનેહી સેણ...(2) કહે થૂલિભદ્ર તમે આવો , મુગતિ મોહલાં માંહે જનમ જરા નાંહી કદ, રમત્યું મન ઉચ્છાહ...(૯) મોતી થાલ વધાવીને, કોશ્યા દીધ આદેશ મુનિવર રખે વિસારતા, બલિહારી તુમ વેશ. (૧૦) યૂલિભદ્ર તિહાંથી વિચરીયા, કરતાં શુદ્ધવિહાર જેઈ વાંદ્યા ગુરૂજી કહે, દુક્કર દુક્કરકાર...(૧૧) સિંહગુરૂ ધૂલિભદ્રને કહે, તું જગ સાચો સિંહ કોશ્યાને પ્રતિબૂઝવી, તે રાખી જગલીહ... (૧૨) ચોરાશી ચોવીશીઇ, અભંગ રહ્યો તુઝ નામ કોશ્યા વયણથી નવિ ચલ્યો, ધૂલિભદ્ર તું ગુણ ધામ...(૧૩)
ઈતિશ્રી નવરસાના દુહા સમાપ્ત : શ્રી સૂર્યબંદરે - લિઃ અબ્ધિગણાધીશ. Iભ. શ્રી રાજેન્દ્રસાગર સૂરિભિઃl. શ્રી શાંતિ આદિનાથ પ્રસાદાત / સં. ૧૮૬૨ મંગળવાર.
સંદર્ભ : જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પા. ૯૪,
મધ્ય. સાહિત્ય ઈતિ. પા. ૪૬
સ્થૂલિભદ્ર નવરસો (દુહા)
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org