________________
૧૨. ગર્ભ વેલી કવિ લાવણ્ય સમયની ગર્ભવેલી રચનામાં જીવાત્મા ગર્ભમાં રહીને કેવાં દુઃખ ભોગવે છે અને ગર્ભ વિકાસ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ થયું છે. જીવોને જન્મ, જરા અને મૃત્યુના ત્રિવિધ તાપ ત્રાસ સહન કરવા પડે છે તેમાં ગર્ભવેલી દ્વારા જમના દુઃખોનું નિરૂપણ આત્માને સ્વસ્વરૂપની જાગૃતિ માટે પ્રેરક બને છે. કવિનો સમય ૧૬મી સદીનો છે. આ કૃતિનો રચના સમય ઉપલબ્ધ નથી.
ગર્ભ વેલી બ્રહ્માણી વરઆલી મુજ તું કવિતા જન માતા તુજ પસાઈ ગાયપું. ગર્ભવેલી વિખ્યાતા...(૧) જ્ઞાન દિવાકર દેવ તું સેવઈ સુરનર ઇંદ પય પ્રણમી પ્રભો વિનવું જયવંત તું જગિચંદ...(૨) સુણી સીમંધર સામીયા તું ત્રિહ ભુવને નાથ હું અપરાધી આવીઉ અશરણ શરણ અનાથ...(૩). માત પિતા ગુરુદેવની કરઈ અવજ્ઞા જેમ કાલ અનંતો તે રલઈ ધર્મ ન જાણઈ ભેઅ...(૪) જે જગ જનતા માની એ માની એ નેમીઈ પીડી દેવી તું છોડઈ તો છુટીઈ દેવ દયા પર હેવ...(૫) દેવ દયા પર સુણો વિનતી બોલે બેહિકર જોડી ગર્ભ તણઇંભરિ માતા પીડી લાગ્યા પાતિક કોડિ... (૬) માતા પીડી કરી મઈ જેવી તેવી કિમ કાહાઈ શતજિહવા શત વરસે કહિતા પૂરા તોહિ ન થાઈ... (૭) સામી વયણા ન બોલઉ ખોટા લાગા મોટા પાપ ભારે ગુનહિ ભગતિ ન કીધી કિમ છુટીસીયા એ...()
ગર્ભ વેલી
૧ ૧ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org