________________
૧૧. અધ્યાત્મ ભાવ ગીતા ૧૮મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા વિદ્વાન આચાર્ય જ્ઞાનવિમલ સૂરિજીએ આગમ સાહિત્યના વિવેચન ઉપરાંત ભક્તિ માર્ગનાં લોકપ્રિય કાવ્યો સ્તવન -સઝાય-ચૈત્યવંદન આદિની રચના કરી હતી. અધ્યાત્મભાવ ગીતાની રચનામાં અષ્ટપ્રકારી પૂજાનો મહિમા ગાયો છે. તેના દ્વારા સમકિતની વિશુદ્ધિ થાય અને આત્મા સમકિત પામી ભવભ્રમ નિમૂળ કરવામાં સફળ નીવડે એવી જિનવાણીનો સંચય થયો છે. પ્રભુ પૂજા શા માટે ? તે પ્રશ્નનો જવાબ આ ગીતા વાણીમાં છે.
અધ્યાત્મ ભાવગીતા પ્રહસને પણમીઈ પ્રેમ આણી, પાર્શ્વપ્રભુ પદકમલ જ્ઞાન સુકૃતની વલ્લી ઈણથી મચાણી જેહને ધ્યાની બ્રહ્મા રચાની... (૧) પાસ પ્રભુને પણ મે સુરનરવર પવિયાણી, સિરધરઈ આગલિ ઊભા જોડી આણી, અશ્વસેન નૃપનંદન નવવન સમકાય,
મણીધર ફણીધર લંછન વામાદેવી માય...(૨)
કાવ્ય : સકલ મંગલ તણું હેઉ જાણી, જિનવાણી ભક્તિ દિલમાંહિ આણી, અચલ શુભ અનુબંધ જોડઈ, હરિત મિથ્યાત અનુબંધ છોડઈ...(૩)
ફાગ : નિશકિન વર સમકિત, ગુણયુત ચિત્ત સમભાવ,
ભાવિત વાસન શાસન, કીજે એકીભાવ અંતરંગ પરમાતમ, જિનપતિ સાથે અભેદ દ્રવ્ય ભાવશું, સાધી જો બહુ ભેદ...(૪)
૧૧૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org