________________
SQSQSQSQSQSQSQSQSQSQSQSoN05059696969
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર – પાટણ (ઉ.ગુ.) શ્રી ચંદ્રસાગર જ્ઞાન ભંડાર ઉજ્જૈન (એમ.પી.) પ્રેરક મુનિ સર્વોદયસાગરજી મ.સા. શ્રી સમીબેન કાનજીભાઈ ઘેલાભાઈ (દઢીયા જ્ઞાન ભંડાર - નાનીખાખર - કચ્છ) પ્રેરક ઉપા. ભુવનચંદ્રજી મ.સા. શ્રી નિત્ય વિનય જીવન મણીવિજયજી જૈન પુસ્તક ભંડાર, ચાણસ્મા.
આ સંસ્થા તરફથી વિશેષતયા મુનિ ભગવંતની પ્રેરણાથી હસ્તપ્રતની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત થઈ છે એટલે ગુજરાતી લિપિમાં લખાણ કરીને પ્રગટ કરવામાં આવ્યું છે.
હસ્તપ્રતો અંગેના વિષયનું કોઈ વિવેચન કરવામાં આવ્યું નથી. મૂળ હસ્તપ્રતમાં જે પ્રમાણે છે તે રીતે પ્રગટ કરવામાં આવ્યું છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં જોડણી અંગે કોઈ ચોક્કસ ધોરણ જોવા મળતું નથી એટલે હસ્તપ્રતના આધારે જોડણી લખવામાં આવી છે આ હસ્તપ્રતો નીચે જણાવેલા કાવ્ય પ્રકારની છે રાસ, હમચડી, કુલક, ચંદ્રાઉલા, દુહા-છંદ, ચોક, નવરસ-રસો, હુંડી, વેલી, સંવાદ, સંધિ ગીતા જેવા કાવ્ય પ્રકારોનો સમાવેશ થાય છે.
“જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો” અને “જૈન સાહિત્યનો સ્વાધ્યાય' નામના પુસ્તકનું પ્રકાશન થયું છે. તેમાં ઉપરોક્ત કાવ્ય પ્રકારોની સ્વરૂપલક્ષી માહિતી અને દ્રષ્ટાંતનો ઉલ્લેખ થયો છે. અત્રે સંક્ષેપમાં કાવ્ય પ્રકારની વિગત નીચે પ્રમાણે છે.
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org