________________
| ૐ હું નમો નાણસ્સ
સંપાદકીય નિવેદન જૈન સાહિત્યના સંશોધન પ્રકાશન અને સંપાદનના કાર્યમાં કેટલીક હસ્તપ્રતનો અભ્યાસ કર્યો હતો. આ હસ્તપ્રતો અપ્રગટ છે તેને પ્રગટ કરવા માટે “હસ્તપ્રત શોધ સંચય” શીર્ષકથી પ્રયત્ન કર્યો છે. હસ્તપ્રતની અન્ય નકલો જુદા જુદા જ્ઞાનભંડારમાં હોય છે તેની સાથે તુલના કરીને પાઠાંતર કે અન્ય વિગતો દર્શાવીને સંશોધન પ્રકાશન કાર્ય કરવું જોઈએ. પણ આ પ્રકાશનમાં આવો તુલનાત્મક અભ્યાસ કર્યો નથી. માત્ર જે તે જ્ઞાનભંડારમાંથી હસ્તપ્રત મળી છે તેનો પાઠ શોધીને ગુજરાતી લિપિમાં પ્રગટ કરવામાં આવ્યો છે ૨૧ હસ્તપ્રતના વિષય અંગે સંક્ષિપ્ત માહિતી અને કઠિન શબ્દાર્થ આપવામાં આવ્યા છે. હસ્તપ્રતના સંશોધનમાં મારા પ્રયત્નો ઉપરાંત કલિકુંડ તિર્થ.આ.રાજેન્દ્રસૂરિ મ.સા.નાં સમુદાયના પૂ. સાધ્વીજી વિરાગરસાશ્રીજી મ.સા. પૂ. સાધ્વીજી ધૈર્યરસાશ્રીજી તથા પૂ. સાધ્વીજી શાશ્વતયશાશ્રીજીનો સહયોગ પ્રાપ્ત થયો છે તેના પરિણામ સ્વરૂપે આ “શોધ સંચય”નું પ્રકાશન કરવામાં આવ્યું છે. પૂ.સાધ્વીજી મ.સા.ની શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિ અને સહયોગની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
હસ્તપ્રતો મેળવવા માટે સમય બહુ થાય છે. જલ્દી જવાબ મળે નહીં એટલે ધીરજ રાખીને બે ત્રણ જ્ઞાનભંડારમાંથી મેળવવા પ્રયત્નો કરવા પડે છે નીચેના જ્ઞાન ભંડારમાંથી હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે.
શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર - કોબા શ્રી એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી , અમદાવાદ,
GSSSB S0sdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsd
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org