SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિસાન ઃ ૬૯ શકાય એવા દેહે દેખાય, ત્યારે બે વિકલ્પની શક્યતા છે કે તેવી દેહધારી વ્યક્તિ કાં તે પૂર્વભવના સંબંધવાળી હોય અને પૂર્વભવમાં તેને જે દેહ હતા તે દેહરૂપે દેખાય અથવા તે તે વર્તમાન ભવમાં વિદ્યમાન હોય પરંતુ તેની સાથેનો પરિચય હજુ સુધી થયે ન હોય તેમ બને. આ રીતે થાય ત્યારે ઓળખવાનું કાર્ય કઠણ અને એ સમજાય તેવું છે. આવી સ્થિતિમાં પ્રથમ વિકલ્પ જે અપરિચિત દેહાકૃતિ ધરાવતી વ્યક્તિ જોવામાં આવે છે ત્યારે અંદરમાં, કેણ હશે? એ પ્રશ્ન થતાં તેની ઓળ ખાણ આપતું જ્ઞાન સહસા વિલંબ વગર અંતરૂ પ્રેરણાથી આવી જાય છે, તેથી વર્તમાનમાં પરિચિત વ્યક્તિને દેહ પૂર્વે કેવા પ્રકારને હતું અને પોતાની સાથે કેવા સંબંધે હતો તે જણાઈ જાય છે. મોટા ભાગના દાખલાઓમાં ઘણું કરીને આમ બને છે; છતાં ક્યારેક ઓળખાણ ન થવાને કેયડે અણુઉકેલ પણ રહે છે, ત્યાં પણ જે યથાર્થ જિજ્ઞાસાથી ઉકેલ માટે પુરુષાર્થ કરવામાં આવે તે અદષ્ટ જ્ઞાન દષ્ટ થઈ શકે છે. બીજા વિક૯૫માં પરિચયમાં નહીં આવેલ એવી દેહાકૃતિવાળી વ્યક્તિ વિદ્યમાન હાય, તે તે વહેલે અથવા મોડે સંબંધમાં આવે છે અને ત્યારે પૂર્વે અનુભવેલ સ્થિતિની સ્મૃતિ થતાં કેયડાનો ઉકેલ સહજ થઈ જાય છે. સમાધાન થવાને અથવા ન થવાને આધાર જ્ઞાન અને દશનને આવરણ કરનાર કર્મોના ઉપશમ ઉપર રહ્યો છે તે નિયમ નિરંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy