SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨ ઃ આધ્યાત્મિક નિબંધો શંકાસ થતું હોવાથી યોગ્ય સિદ્ધિ આપતું નથી. જાતિગૃતિ જ્ઞાન થવાથી આત્માના અસ્તિત્વ અને નિત્ય સંબંધે નિઃશંકપણું આવે છે. આ નિઃશંકતા પરોક્ષપણે અથવા પ્રત્યક્ષપણે થવી જ જોઈએ; તે ન હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થયું હોય એમ શાસલી કહેતી નથી. એને અર્થ એ થશે કે પિતાને પૂર્વભવ કાં તે પોતાના જાતિસ્મરણજ્ઞાનથી પિતે જાણે અને નિઃશંક થાય અથવા કઈ સદ્દગુરુ કહી બતાવે એટલે પક્ષપણે જાણે અને તે કારણથી નિઃશંક થાય. કેઈવાર શ્રી સદ્દગુરુ પૂર્વ ભવને કોઈ અગત્યનો પ્રસંગ જણાવે છે ત્યારે શિષ્યના જ્ઞાન આડેને પડદે ખસી જાય છે અને પિતાને તેની મૃતિ પ્રત્યક્ષપણે આવે છે, તે વળી કેઈવાર જ્ઞાનાવર gય તેમ દર્શનાવરણીય કર્મો ભારે ઉદયમાં હોય તેથી શ્રી ગુરુએ કહેલી ગતભવની કથા પોતે સ્મૃતિમાં ન લાવી શકે તે પણ તેની શ્રી ગુરુદેવમાં અડેલ શ્રદ્ધા હોવાને લીધે તે વાતને નિઃશંકપણે સ્વીકાર તેના આત્મામાં થાય છે અને ત્યાં જ પરિણામ પામે છે. એમ પણ બને છે કે ક્યારેક પુરુષ પિતાના અદ્દભુત વચનબળથી કેઈ મનુષ્ય કે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જીવને તેના કલ્યાણાર્થે બોધ આપે છે, પૂર્વભવને પ્રસંગ કહી સંભળાવે છે અને તેની સ્મૃતિ કરાવે છે. શાસ્ત્રમાં આવા ઘણા દષ્ટાંતે સુપ્રસિદ્ધ છે, જેમાં શ્રી મહાવીર પ્રભુએ ચંડકોશી નાગને પ્રતિબોધીને જાતિસ્મરણજ્ઞાન કરાયું હતું તે પ્રધાનતાએ શોભે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy