SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ : આધ્યાત્મિક નિબંધો કરે છે અને શંકાસહ પ્રયત્ન તે ચોગ્ય સિદ્ધિ આપતું નથી. “પુનર્જન્મ છે” આટલું પરોક્ષે–પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશલી કહેતી નથી.” –શ્રીમદ્ રાજચંદ્રજી, પત્રાંક (૬૪) સામાન્ય જતિસ્મૃતિજ્ઞાનના પ્રકારનું વર્ણન આગળ. આપ્યું હતું ત્યાં તે જ્ઞાન થવાનાં સામાન્ય નિમિત્તે જણવ્યા હતા, જેમકે પૂર્વે જેયેલ સ્થળ અથવા દશ્ય પૂર્વે સાંભળેલી વાત અથવા પ્રસંગકથા એ આદિ બીજા ભવે પુનઃ અનુભવમાં આવવાં. અહીં મુખ્ય જાતિસ્મૃતિજ્ઞાન ઉદ્ભવવાનાં કારણે દર્શાવ્યા છે અને તે ખૂબ જ મહત્વના છે. તેમાં પ્રથમ છે ઉત્કૃષ્ટ સંવેગ. સંવેગ. શબ્દનો અર્થ છે સમ્યફ પ્રકારને વેગ; આત્માના ભાવની ગતિ પરભાવથી છૂટી સ્વભાવ તરફ વળી ઉચ્ચતમ સ્તરને પહોંચવાની ઉત્કૃષ્ટ અભિલાષા તે સંવેગ; અથવા આત્માની પરમ શુદ્ધતાની એટલે મોક્ષની પરમ ઈચ્છા તે સંવેગ. સવેગ આવવાનું કારણ છે નિવેદ એટલે સંસારસુખની અનભિરુચિ, નિર્વેદ અવસ્થા શ્રદ્ધાના બળથી જન્મ પામે છે; શ્રદ્ધા એટલે અનિત્ય અને અશરણરૂપ સંસારનું સત્યસ્વરૂપ અને ચૈતન્યનું નિત્યત્વ તથા સહજ અળ્યા. બાધ સુખસ્વરૂપ બતાવનાર પુરુષનાં અમૃતવચનમાં. તલ્લીનતા. આથી જ અનંતકાળથી રખડતા, ૨ઝળતા અને સંસાર દુખની લાતે ખાતા શુદ્ધ ચેતન્યસ્વરૂપ નિજ માની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy