SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ : આધ્યાત્મિક નિબંધો સમય સુધી ઉપદેશેલ માર્ગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.”(૭૫૧) ક્ષીણમાહ પયત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.” (વચનામૃત ૮૮૮) બારમા ગુણ સ્થાનકને અંતે જ્યાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે અથવા આત્મા નિજ શુદ્ધતાને સંપ્રાપ્ત થાય છે ત્યાં સુધી પણ શ્રુતજ્ઞાનનું અથવા જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન, તે. રૂપ નિમિત્ત આવશ્યક છે જ, એમ અત્ર બતાવ્યું. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં તેય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, અને સાથે રહેલ. ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.” -શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર આ વચને સદબુદ્ધિથી અને નિરાગ્રહપણે વિચારતાં સત્ય જણાશે અને સિદ્ધાંતની સિદ્ધિ થશે. પરમકૃપાળુ, શ્રીમદ રાજચંદ્રજીએ પુરુષ અને જ્ઞાની પુરુષનું માહાત્મ્ય તેમનાં ટકેલ્કીર્ણ વચનામૃતમાં ઠેક ઠેકાણે ભારપૂર્વક ગાયું છે. જીવને કલ્યાણાર્થે તેમની પરમ આવશ્યકતા કહી બતાવી છે અને સત્ય માર્ગદર્શન આપ્યું છે. તેનું રહસ્ય કારણ સમજાય છે ત્યારે જ તેમનાં વચનમાં પ્રતીતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy