SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : આધ્યાત્મિક નિબંધ ત્યાં આગળ ઈચ્છાબળ, વિચારબળ કે નિશ્ચયબળ સફળ થતાં નથી, એટલે કે ભેગવવાની ઈચ્છા લેશ પણ ન હોય તે પણ ભેગવવા પડે, એ નિયમ છે. સંસારી જીવન ઉદ્યમ સંબંધે જણાવતાં પહેલાં મોહનીય કર્મ, જે મૂળ, મુખ્ય અને બળવાન છે તે બંધાવાનું મૂળ કારણ જણાવીએ છીએ અને તે છે અપેક્ષા. અપેક્ષા એ જ કમની છાવણ છે. અપેક્ષામાંથી ઈરછા જમે છે, ઈરછામાંથી આસક્તિ અને આસક્તિમાંથી વાસના ઉભવ પામે છે. વાસના પ્રવાહ વહ્યા કરે છે અને તેને લઈને સર્વ મેટા દેષની ઉત્પત્તિ થાય છે. અપેક્ષાનું મૂળ સ્વરૂપ ખૂબ જ નાનું અથવા સૂક્ષમ છે. પરંતુ તે અગ્નિના તણખાની જેમ વિસ્તરી વિરાટરૂપે પ્રગટ થઈ શકે છે–અગ્નિને એક કણ જેમ પાસે સંયોગમાં રહેલી મોટી ઘાસની ગંજીને બાળી નાખવા સમર્થ છે, તેમ અપેક્ષા વિકસીને વિસ્તાર પામે ત્યારે તે કાર્યશીલ થઈ આત્માના ગુણ સમૂહને ઘાત કરવા શક્તિ ધરાવે છે. અપેક્ષા એ લેભનો સૂક્ષ્મ પ્રકાર છે; અપેક્ષા એ દુઃખનું સર્જન કરનાર કુર દેવી છે; અપેક્ષા એ ગુપ્તાએ બાળનાર અગ્નિ છે, અપેક્ષા એ સંકલેશ પરિણામની જનેતા છે. ઉપર ઉપરથી જોતાં અપેક્ષામાં મીઠાશ છે પણ અંદરથી જોતાં તેમાં કડવાશ છે. અપેક્ષામાં જમ્બર આકર્ષણ શક્તિ છે. અપેક્ષાથી અપેક્ષા જમે છે. વિકસે છે, વૃદ્ધિ પામે છે અર્થાત્ અપેક્ષાની સંતતિ ઘણી મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy