SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : આધ્યાત્મિક નિબંધ પમ છે! તેઓ વચને કહેતાં હોય તે વખતે જાણે એમ લાગે કે શબ્દો વિના પ્રયત્ન ગોઠવાઈને અંદરમાંથી બહાર નીકળે છે અને તેમને શાંતભાવ તે જે ને તેવો સહજાણે રહ્યા કરે છે. વચનોની પ્રગટતામાં ક્યાંય આવેશ નથી, ઉછાળા નથી, હું જેસ નથી, બેટે ભાર નથી; પરંતુ માત્ર સૌમ્યતાથી નીકળતી અને જિજ્ઞાસુ શ્રોતાના હૃદયને સ્પર્શતી શાંત, કલ્યાણકારી, ઉપકારી અને પૂર્વપર અવિરોધ વાણું છે. અહો ધન્ય છે તે વાણને ! સુમધુર કંઠમાંથી સુસ્વરે નીકળતી અને સાંભળનારના ચિત્તને એકતાર કરી દેતી તેમની નિર્દોષ વાણીને વારંવાર નમસ્કાર હે ! ૩. અહ, અન્ય ભાવથી પર થઈ સ્વભાવમાં રમણતા કરનાર પ્રભુની દેહથિરતા કેવી અદ્ભુત છે! તેઓની કાયાની પ્રવૃત્તિ કેવી – નિષ્કામતાથી થયા કરે છે ! ઊઠતાં, બેસતાં, ચાલતાં કે અન્ય કાર્ય કરતાં તેમને આત્મભાવ કે સ્થિર અને નિશ્ચળ રહે છે. તે નિશ્ચળતાની પ્રતીતિરૂપ છાપ તેમની મુખમુદ્રા પર અને વિશેષે કરીને નયને પર કેવી અંકિત થયેલી જોવા મળે છે ! કાયાગની પ્રવૃત્તિ તેઓ જણે કરતા ન હોય પરંતુ થતી હોય એમ જ લાગે. ૪. અહ, પ્રેમમૂતિ પ્રભુની મુખાકૃતિ ઉપર સૌમ્ય રેખાઓ સુરમ્યપણે પથરાયેલી દેખાય છે! તે ઉજજ્વળ રેખાઓમાંથી ક્યારેક ક્યારેક તેજનાં કિરણે છુટતાં હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy