SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૨૨૫ છે અને સન્મુખ ઉપસ્થિત પ્રભુના પ્રેમીભક્ત તરફ જઈ, તેને આલિંગનથી ભેટી તેના આત્માને સ્થિર કરે છે, અજવાળે છે. અહો ! તેમનું સામર્થ્ય કેટલું છે! પ. તેમનાં વદન કમળ પર દિવ્ય તેજ પાથરતે પ્રકાશ કે શેભી રહ્યો છે ! તે પ્રકાશનાં દર્શન માત્રથી જેનારમાં ચૈતન્ય ઝરણું વહેવાનું શરૂ થાય છે અને તેના સુખરૂપ પરિણામ સ્વરૂપભ્રાંતિ આદિ દેનું મર્દન સહજતા થાય છે. અહે! કેવું અદ્દભુત બળ! ૬. અહો, એ પ્રેમસ્વરૂપ પ્રભુનાં નયને તે જુઓ, તે કેવાં અલૌકિક કાંતિથી દીપતાં અને પ્રેમાળ મધુરભાવથી ભરપૂર દીસે છે! તેમનાં એક નેત્રમાંથી નીતરે છે પ્રેમનીરને નિર્મળ પ્રવાહ, તો બીજાં નેત્રમાંથી વહે છે કરુણરસનો અમૃતઝરો તે સુધારસને જે કોઈ ભવ્ય ભાગ્યવંત પુરુષ પિતાની પરમ યોગ્યતા લાવી પામી શકે, અનુભવી શકે, તેની પ્રેમની સફર સફળ કેમ ન થાય? ને પવિત્ર રસને પ્રભાવ જ એ છે કે તેને પામનાર પુરુષનું હદય પ્રેમમિથી ઉભરાવું શરૂ થાય છે અને પછી તે પ્રેમસમાધિમાં ડૂબકી મારવાનું સુગમતાથી થાય છે. તેથી પણ આગળ વધતી દશામાં પ્રેમસમાધિ આત્મસમાધિમાં પરિણમે છે; ત્યારે આત્માની નીરવ શાંતિનું વેદન અનુભવાય છે. અહે ! પ્રેમની અને કરુણરસના મિશ્ર પ્રભાવથી અતિશય આકર્ષક બનતી પ્રભુની મુખમુદ્રા કેવી મનરમ્ય અને આનંદદાયી છે! તેનું યથાર્થ વર્ણન કરવું વચનાતીત છે. અ, ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy