SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ : આધ્યાત્મિક નિબંધ અને તેમને ઊંડી સમાધિમાં નિમગ્ન થયેલા જુએ છે ત્યારે તેના અંતરાનંદનો કોઈ પાર રહેતું નથી. આવા અપૂર્વ અને અલૌકિક પ્રત્યક્ષ દર્શનને પરમેશ્ય પરમાર્થ લાભ પ્રાપ્ત થાય એ સુઅવસર પ્રભુજીએ કૃપા કરીને આપે તે માટે તેમને અંતરમાં મહાન ઉપકાર માને છે, પ્રેમમિની અતિશયતાથી વંદન કરે છે અને નજીકના સ્થાને પ્રભુની સન્મુખ દષ્ટિ રાખી શાંતિથી બેસે છે. અહો, ત્યાં તેની સ્થિર દષ્ટિની સામે કેવા અનુપમ ચમત્કારનાં દર્શનનું સર્જન થાય છે! જે જોઈને એક વાર તો ભ્રાંતિમાં પડી જવાય કે જે દીઠું તે ખરું કે ખોટું? શું તે મનની ભ્રમણા છે કે કલ્પનાનું ઉપસી આવેલ ચિત્ર છે પરંતુ જ્યાં પ્રેમની પ્રભા પ્રકાશિત છે અને શ્રદ્ધાનું તેજ પથરાયું છે તથા અર્પણતાના અંશે વધ્યા છે, ત્યાં કેઈ છેતરનારી બ્રાંતિને સ્થાન કેમ હોઈ શકે? તે કઈ આશંકાવાળે વિચાર ઉદભવ પામે તે પહેલાં જ પ્રભુકૃપાએ તેના આત્મામાં સત્યતાનો હકાર આવે છે તેમ તેની સુપ્રતીતિ પણ આવે છે. ત્યારે પ્રભુના પ્રેમીએ શું જોયું? સમાધિમન પ્રભુજીની મુખમુદ્રા કઈ દિવ્ય કાંતિથી આપી રહી છે અને તેમાંથી કયારેક કયારેક તેજનાં કિરણે છૂટતાં અને આસપાસ ફેલાઈ વિલીન થતાં દેખાય છે. ચહેરા પરની વીતરાગભાવદર્શક શાંતિ અનુપમરૂપે દીપી રહી છે; જેનારને આમાં ઠરી જાય એવી એ શાંતિનું Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy